SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આત્મવીશે ભવ' - આત્મદીપ બનો ૭ ૧૦૭ ઉપાસનાને ભૂલી જાઉં, કે તેમની ઉપાસના દ્વારા મારા આત્માની ઉપાસનાને માર્ગે ન વળું અને તેમની જ ઉપાસનાને વળગી રહું તો એ પણ એક મોહ છે. સૂક્ષ્મ મૂર્છા જ છે. આવી મૂર્છા મારામાં છે જ અને એ મૂર્છાનો યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી મારી આત્મોપાસના પૂર્ણ થતી નથી અને એવી આત્મોપાસના વિના આત્મોદ્ધારનો માર્ગ મળતો નથી. આવી જ કોઈક વિચારણાને આધારે ગૌતમે મૂર્છામાં અટવાઈ પડેલા આત્માને પ્રાપ્ત કર્યો અને તેમનાં બંધનો તૂટી ગયાં, નિર્મોહી બન્યા અને કૈવલ્યને પામ્યા. આ ઘટના ઉપરથી આપણે સહેજે એ તારવી શકીએ છીએ કે, જૈન ધર્મમાં ભક્તિનું સ્થાન છે ખરું પણ એ ભકિત એકપક્ષીય છે. એટલે કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તેઓ આપણા ઉપર કશી જ કૃપા કરતા નથી, તેઓ આપણા ઉપર રાગ કરતા નથી. એટલે છેવટે તો આપણો ઉદ્ધાર આપણે જ કરવાનો છે, ઉપાસ્ય એ ધ્રુવ તારો છે. એ બતાવે છે કે, માર્ગ કયો છે. એ નિર્મમ છે એટલે આપણે પણ છેવટે નિર્મમ જ થવાનું જ છે. આ ધ્રુવમંત્ર એ ધ્રુવતારા રૂપ ઉપાસ્ય પાસેથી આપણે પ્રાપ્ત કરીએ છીએ અને એમાંથી જ આપણા ઉદ્ધારને માર્ગે આપણે વળીએ છીએ. એટલે આ દિવાળીનો સંદેશ કહે કે, ભગવાનનો અંતિમ સંદેશ એ છે કે, પરિગ્રહ-મૂર્છાનો ત્યાગ કરવો. આ અવસરે માત્ર ઉપવાસ કરીને કૃતાર્થતા અનુભવવામાં આવે તો તે સંદેશ આત્મસાત્ થતો નથી. પરિગ્રહની પૂજા રૂપ લક્ષ્મીપૂજા કરવામાં આવે તેથી પણ પતતું નથી. પણ ‘લક્ષ્મી પૂજા'ની પાછળ પણ એ ભાવ રહેવો આવશ્યક છે કે મારી પૂજા ત્યારે જ પૂરી થશે કે જ્યારે હું સર્વસ્વનો ત્યાગ કરીશ. આવી ભાવનાપૂર્વક દિવાળીની લક્ષ્મીપૂજા કરવામાં આવે ત્યારે જ ભગવાનનો સંદેશ સાર્થક થાય. પૂજા રાગ અને દ્વેષપૂર્વક થાય છે એનાં ઉદાહરણો અન્યત્ર મળે છે કર્મવી૨ કૃષ્ણનું તો કહેવું હતું કે જે મને દ્વેષપૂર્વક ભજે છે તેનો જલદી ઉદ્ધાર થાય છે. આનું રહસ્ય એ છે કે લક્ષ્મીની પૂજા પરિગ્રહના દ્વેષપૂર્વક કરવામાં આવે તો લક્ષ્મીના ત્યાગની ભાવનાપ્રબળ બને છે અને એવી ત્યાગની ભાવનાના પ્રાબલ્કે જ મનુષ્ય નિર્મોહી-નિર્મમ બની પોતાનો ઉદ્ધાર સાધે છે. એટલે વૈશ્ય કોમ માટેનો માર્ગ એ છે કે, તેઓ લક્ષ્મીની પૂજા જરૂર કરે પણ ઉદ્દેશપૂર્વક અને તે તેના પોતાના પરિગ્રહના ત્યાગનો એટલે ભગવાનનો અંતિમ ઉપદેશ કયો તે એક શબ્દમાં કહેવું હોય તો તે પરિગ્રહ-ત્યાગ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy