SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૦ માથુરી આ એકાંતનિવૃત્તિપરાયણદૃષ્ટિ કહેવાય છે. આ નિવૃત્તિર્દષ્ટિથી પ્રથમ તો એ નુકસાન થયું કે સમાજની ચાલુ વ્યવસ્થામાં જે દોષો હતા તે તેમને તેમ જ રહ્યા એટલું જ નહીં, પણ નવા વધતા જ ગયા. મનુષ્ય કર્તવ્યમાર્ગ જ્યાં કઠણ દેખાયો ત્યાં આવી નિવૃત્તિમાંય દૃષ્ટિનું અવલંબન લઈ કર્તવ્યથી ત્યાગવા લાગ્યો. અને છેવટે તે પોતાનું કે ૫રનું કશું જ ભલું કરી શક્યો નહિ. ભગવાન મહાવીર જેવા વીરલા પુરુષો અવધૂત પુરુષો કોઈક જ હોય છે જે પોતાની આવશ્યકતાઓ નજીવી કરી શકે છે. બાકીનાઓ તો એ આધ્યાત્મિક માર્ગના પથિક બનીને પણ બીજા ઉપર ભારભૂત જ બની જાય છે. એટલે એક માર્ગ તરીકે એ નિવૃત્તિમાર્ગ વ્યક્તિ કે સમાજની દૃષ્ટિએ રાજમાર્ગ ન કહી શકાય. અને આજના જમાનામાં એ અવલંબન યોગ્ય તો જ ન કહી શકાય. એટલે આજે ઐકાન્તિક ભૌતિકવાદની કે આધ્યાત્મિક દૃષ્ટિના વિકૃતરૂપ એકાંત નિવૃત્તિમાર્ગની જરૂર નથી પણ ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદના સમન્વયની આવશ્યકતા છે. કોરી આધ્યાત્મિકતા દંભમાં પરિણમે છે અને કોરો ભૌતિકવાદ સંધર્ષનું રૂપ લે છે. વ્યક્તિ અને સમાજના જીવનમાં એકતાનતા સ્થપાય અને સંઘર્ષ ઓછો થાય એટલા માટે આધ્યાત્મિક દૃષ્ટિની આવશ્યકતા છે અને મનુષ્યનું બાહ્ય જીવન સુખી બને એટલા માટે ભૌતિક વિકાસ આવશ્યક છે. જીવન છે ત્યાં સુધી ભૂતોનો સંબંધ રહેવાનો, તેનો સુમેળ અને તેમાં સુવ્યવસ્થા કરવાનું કાર્ય અધ્યાત્મદૃષ્ટિ કરે તો જીવન સુસંવાદી બને અને મનુષ્યસમાજ સુખી અને સમૃદ્ધ બને. પ્રબુદ્ધ જીવન ૧-૬-૧૯૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy