SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન અને અધ્યાત્મ • ૧૦૩ પ્રચાર થતા છેવટે જે વ્યક્તિઓનો એ સમાજ બનેલો છે તે વ્યક્તિઓ ઉપેક્ષિત બનીને એ સમાજ કે સમાજસંચાલિત રાજયને જ પ્રબળ બનાવવાનું લક્ષ્ય મુખ્ય થઈ ગયું છે. આવી સ્થિતિ માનવીના વ્યક્તિત્વના વિકાસની બાધક ' છે. એટલે આપણે માટે આજની વિકસિત એવી એકાંત ભૌતિક દૃષ્ટિ પણ અગ્રાહ્ય છે. ત્યારે શું આપણે એ ભૌતિક દષ્ટિનો સર્વથા ત્યાગ કરીને ભગવાન મહાવીરે ઉપદેશેલ આધ્યાત્મિક દૃષ્ટિને જ માત્ર અનુસરવું એ હિતાવહ છે ? ભગવાન મહાવીરની આધ્યાત્મિક દૃષ્ટિએ હિતાવહ અવશ્ય છે પણ તેના નિયોજન વિશેનો એકાંત માર્ગ હિતાવહ નથી. આધ્યાત્મિક દૃષ્ટિનો કોઈ એવો અર્થ કરે કે ખરું સુખ ત્યાગમાં છે ભોગમાં નથી ત્યાં સુધી એ દષ્ટિમાં દોષ નથી. પરંતુ એનો એકાંત અર્થ કોઈ એવો કરે કે પ્રવૃત્તિ જ મોક્ષદાયી છે. તો ઈતિહાસ એ સિદ્ધ કર્યું છે કે એ સૂત્રનું પાલન સ્વયં ભગવાન પણ કરી શક્યા નથી તો આજનો માનવી તો શું કરી શકે ? જે વખતે ભૌતિક વિકાસ બહુ થોડો હતો ત્યારે નિવૃત્તિ કાંઈક સહજ હતી. પણ આજે ભૌતિક વિકાસની માત્રા એટલી બધી વધી ગઈ છે કે એકાંત નિવૃત્તિનો આગ્રહ સેવનારે દંભનું સેવન ડગલે ને પગલે કરવું પડે છે. અથવા નિવૃત્તિ છોડીને પ્રવૃત્તિ અપનાવવી પડે છે. એકાંત ભૌતિક દૃષ્ટિ એટલા માટે અયુક્ત છે કે તેમાં મનુષ્ય સ્વાર્થપરાયણ થઈ જાય છે. આજની વિકસિત ભૌતિક દૃષ્ટિમાં એ વિષ વ્યક્તિજીવનમાંથી સમૂહગત - રાજયગત થયું છે. પણ એ ગમે ત્યાં હોય પણ વ્યક્તિજીવન વિષાક્ત થયા વિના રહેતું નથી. અને તે પ્રકારે વ્યક્તિ અને સમાજ પતિત થયા છે. તો જોવાનું એ છે કે એકાંતનિવૃત્તિપરાયણ લોકોમાં એ વિષનો પ્રચાર છે કે નહી ? એકાંત નિવૃત્તિપરાયણ મનુષ્યના જીવનમાં પણ સ્વાર્થપરાપણતા તો છે જ. જે માબાપે તેને મોટો કર્યો, તેના વિકાસમાં સહાયક થયા, જે સ્ત્રીએ તેને માટે પોતાનું સર્વસ્વ ત્યાગ્યું અને તેની સાથે તાદાભ્ય સાધ્યું. જે બાળકોને તેણે મોટાં કર્યા અને જેમના વિકાસની જવાબદારી તેની જ છે તે બધાંને વિશે વિચારવું કે મારે તો તેઓ સાથે કશી જ લેવાદેવા નથી, એ બધાં તો કર્મસંગે મળી ગયા છે. અને તેઓ તો બધાં સ્વાર્થી છે અને માત્ર મારી મહેનતનો લાભ જ લેવા માગે છે, મારા આત્માને ને તેમને શી લેવા દેવા ? તે તો એકલો જ સંસારમાં આવ્યો છે ને એકલો જ જવાનો છે માટે તે બધાને છોડીને સાધુ થઈ જવું, સંન્યાસી થઈ જવું એ જ મારે માટે પરમ કર્તવ્ય છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy