SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ - માથરી સુખભોગની કલ્પના વિકસી અને છેવટે સ્વર્ગથી પણ ઉપરની અવસ્થા બ્રહ્મીભાવ કે નિર્વાણ કે મોક્ષની કલ્પનાએ જન્મ લીધો. આ બધા વિકાસમાં બ્રાહ્મણો કરતાં શ્રમણોનો ફાળો વિશેષ રૂપે છે છતાં શ્રમણો પણ આ વિદ્યા અનાદિકાળથી જાણતા હતા એમ તો કહી શકાય નહિ. એમ માનવા જતાં તો સંપૂર્ણ સભ્યતાનો જે ક્રમે વિકાસ થયો છે તેને બદલે એમ જ માનવું પડે કે મનુષ્ય અનાદિકાળથી પરમ સંસ્કૃત જ હતો. આમ માનવું એ તો આખા ઇતિહાસને અને આધ્યાત્મિક અને ભૌતિક જગતમાં મનુષ્ય કરેલાં પરાક્રમોને ભૂંસી નાખવા જેવું થાય. ભગવાન ઋષભદેવની વાત જવા દઈએ. ભગવાન પાર્શ્વનાથ જે ભગવાન મહાવીર પહેલા માત્ર ૨૫૦ વર્ષે થયા તેમના અને ભગવાન મહાવીરના ઉપદેશમાં પણ વિકાસની માત્રા નજરે ચડે છે. ભગવાન પાર્શ્વનાથના સમયમાં અપરિગ્રહ એ વ્રતમાં જ બ્રહ્મચર્યનો સમાવેશ હતો–અથવા એમ કહેવું વધારે ઠીક છે અબ્રહ્મચર્યના એટલા દોષો જણાયા ન હતા જેથી બ્રહ્મચર્યને જુદું વ્રત ગણવું આવશ્યક માનવામાં આવે. નગરનિવાસ છોડનારા પણ જંગલમાં જઈ પત્નીનો સહચાર રાખતા અને છતાં ત્યાગીમાં ખપતા. ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય ઉપર વધારે ભાર આપ્યો અને સ્ત્રીત્યાગ એ પરમ આવશ્યક છે એટલું જ નહિ પણ એ વિના ત્યાગ એ સાચો ત્યાગ કહેવાય જ નહીં એ ઉપર ભાર આપ્યો. એટલે આપણે એમ તો ન માની શકીએ કે ભગવાન મહાવીરનો જે આધ્યાત્મિક માર્ગ છે તે અનાદિકાળથી ચાલતો આવતો હોવાથી સનાતન છે અને તેથી ભગવાનની દષ્ટિ સનાતનદષ્ટિ છે. સનાતન દૃષ્ટિનો અર્થ સામાન્યપણે આવો જ કરવામાં આવે છે અને તે પ્રકારે ભગવાનને સનાતનદષ્ટિ કહી શકાય નહીં. ભગવાનની કઈ દૃષ્ટિ હતી અને તેના ઠીક સ્વરૂપમાં કહેવી હોય તો કહી શકાય કે તેમની દષ્ટિ ભૌતિક નહિ. પણ આધ્યાત્મિક હતી. તેને સનાતન એવું વિશેષણ ભ્રામક હોવાથી આપણે ન લગાડીએ પણ હવે પ્રશ્ન એ થાય છે કે આધ્યાત્મિક દૃષ્ટિએ એક માત્ર ત્રાણરૂપ છે? મનુષ્ય સમાજને માત્ર એ એકાંત આધ્યાત્મિક દૃષ્ટિનો ઉપદેશ સર્વથા ગ્રાહ્ય છે ? પ્રાચીન ભૌતિક દૃષ્ટિમાં સ્વાર્થપરાયણતા હતી તેથી તે દોષાવહ હતી પરંતુ એ ભૌતિક દૃષ્ટિમાં સમાજપરાયણતા આજે આવી છે તેથી તેની ગુણવત્તા વધી ગઈ છે. પણ આજની ભૌતિક દૃષ્ટિ આધ્યાત્મિક દૃષ્ટિથી શૂન્ય હોવાથી આદર્શો ઊંચા હોવા છતાં મૂળમાં દોષ હોવાથી માનવ સમાજમાંથી વ્યક્તિ સ્વાતંત્ર્યનો સર્વથા લોપ થતો જાય છે. અને સમાજ જ મુખ્ય હોય એવી ભાવનાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy