SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન અને અધ્યાત્મ • ૧૦૧ અર્થ છે કે તેમાં વિશ્વનું આધ્યાત્મિક સુખ અને મુક્તિ મુખ્ય છે. પણ પ્રશ્ન એ છે કે એ અર્થ શું સનાતન છે જેથી તેને સનાતન દૃષ્ટિ કહી શકાય ? આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં આપણે સનાતન શબ્દનો અર્થ શું છે તે જોવું જોઈએ. સામાન્ય રીતે જે શાશ્વત હોય તે સનાતન કહેવાય છે. એ શાશ્વતતાનો જો એ અર્થ લેવામાં આવે કે એ સત્ય જેનો આવિષ્કાર ભગવાન મહાવીરે કર્યો તે ત્રિકાલાબાધિત છે અર્થાત્ તેમણે જે કહ્યું છે તે પરમ સત્ય છે તો તો તેમાં વાંધો લેવા જેવું કશું જ નથી. કારણ કે છેવટે મનુષ્ય તો જ સુખી થાય જો તેનામાં આધ્યાત્મિક સંતોષની ભાવનાનો વિકાસ થયો હોય. તે વિના બાહ્ય સામગ્રી ગમે તેટલી ભેગી કરવામાં આવે તો મનુષ્ય કદી પૂર્ણ સુખી થઈ શકે નહિ. એટલે ભોગ કરતા ત્યાગમાં જ પરમ સુખ છે એ સત્ય શાશ્વત છે– ત્રિકાલાબાધિત છે. અને એ અર્થમાં સનાતન પણ છે. અને એ અપેક્ષાએ આપણે તેમને સનાતનદષ્ટિ કહી શકીએ, તે બરાબર છે. પરંતુ જો સાથે સાથે એવો પણ દાવો કરવામાં આવે કે એ જ સત્યનો ઉપદેશ અનાદિકાળથી કરવામાં આવ્યો છે તેમને એ ઉપદેશ નવો નથી માટે પણ તેમને સનાતનદષ્ટિ કહેવા જોઈએ ત્યારે આ વસ્તુની સાક્ષી ઇતિહાસમાં પણ શોધવી આવશ્યક છે. ભારતીય ધર્મોનો જે કાંઈ ઇતિહાસ ઉપલબ્ધ છે તેના આધારે એ કહેવું. કઠણ છે કે ભારતમાં આધ્યાત્મિક દ્રષ્ટિ અનાદિકાળથી ચાલી આવે છે. ભારતીય દર્શનોના અને ધર્મના ઈતિહાસના અધ્યયનને પરિણામે હું તો એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યો છું કે આધ્યાત્મિક દૃષ્ટિ આજે આપણે જેને કહીએ છીએ તેવી આધ્યાત્મિક દષ્ટિ વેદના જૂના ભાગોમાં ઉપલબ્ધ નથી થતી. પરંતુ આજે જેને ભૌતિક દૃષ્ટિ કહેવામાં આવે છે એને મળતી આવે અથવા તેનાથી વધારે નજીક એવી લૌકિક દૃષ્ટિ તેમાં પ્રધાનપદે છે. તેનો જ ઉત્તરોત્તર વિકાસ થઈને ભગવાન મહાવીરના સમયમાં આધ્યાત્મિક દ્રષ્ટિમાં તેનો પરિપાક થયો છે. વેદમાં માત્ર આ લોકના જ સુખપુત્ર અને ધનસંપત્તિ વિશેની પ્રાર્થનાઓ છે. એ જ પ્રાર્થનાઓને આધારે. પછી યજ્ઞસંસ્કૃતિ વિકસી અને સાથે સ્વર્ગની કલ્પના પણ આવી. તે એટલા માટે અનિવાર્ય હતી કે બધા યજ્ઞોનું ઈહલોકમાં ફળ બતાવી શકાતું નહીં. પુત્ર અને સંપત્તિની આશાએ યજ્ઞ કરવામાં આવતા પણ ફળ મળતું નહિ એટલે સ્વર્ગની કલ્પના અનિવાર્ય બની પરંતુ ત્યારે પણ સુખ એ આધ્યાત્મિકતામાં નહિ, પણ બાહ્ય વસ્તુના ભાગમાં મનાતું. સ્વર્ગમાં પણ એથી વિશેષ કશું કલ્પવામાં આવ્યું ન હતું. ત્યાર પછી સ્વર્ગમાં પણ બાહ્ય સામગ્રી વિના પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy