SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ૭ માથુરી : ૨ : જીવનમાં બે દૃષ્ટિ કાર્ય કરે છે : ભૌતિક અને આધ્યાત્મિક. ભગવાન મહાવીર ભૌતિક દષ્ટિ ધરાવતા નહીં એ તો દીવા જેવું સ્પષ્ટ છે. કારણ કે આચારાંગનું પહેલું જ વાક્ય છે કે કેટલાક લોકો એ નથી જાણતા કે પોતે ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાના છે. પોતાનો આત્મા જન્માન્તરગામી છે કે નહીં ? તેમ જ પોતે કોણ હતા અને હવે પછી શું થવાના છે એ પણ તેઓ જાણતા નથી. જેઓ એ વસ્તુ જાણે છે તેઓ આત્મવાદી, ક્રિયાવાદી, કર્મવાદી અને લોકવાદી કહેવાય છે. એટલે આપણે સહેજે અનુમાન કરી શકીએ કે ભગવાન મહાવીર અધ્યાત્મદૃષ્ટિમાં માનતા. ભૌતિક દૃષ્ટિમાં નહિ, તેઓ આત્મવાદી હતા, ભૂતવાદી નહિ. આથી વિપરીત ભૌતિક દૃષ્ટિનું મન્તવ્ય છે કે આત્મા જેવી કશી જ વસ્તુ નથી. આત્મા એ સ્વતંત્ર નથી. પૂર્વકૃત કર્મ કે તેના ફળભોગનો પ્રશ્ન જ નથી. મોક્ષ કે નિર્વાણનું જીવનમાં સ્થાન નથી. મનુષ્ય જે કાંઈ સુખદુઃખ પામે છે તે આસપાસની વ્યવસ્થાને લઈને. એ વ્યવસ્થા સામાજિક છે. એ સમાજને બદલવામાં આવે અર્થાત્ અર્થવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા બદલવામાં આવે તો મનુષ્ય સુખી થઈ શકે છે. તેના સુખનો આધાર સમાજવ્યવસ્થા છે. સંસારત્યાગમાં એટલું સુખ નથી જેટલું સંસારને સુવ્યવસ્થિત કરવામાં છે. આવી માત્ર બાહ્યદૃષ્ટિ ભગવાનની હતી નહીં એ સ્પષ્ટ છે એટલે તેમને ભૌતિક દૃષ્ટિ તો કહી જ ન શકાય. ત્યારે હવે પ્રશ્ન થાય છે કે જો ભૌતિક દૃષ્ટિ ન હોય તો પછી ભગવાન મહાવીર સનાતન દૃષ્ટિ તો જરૂર હતા. એમ શા માટે ન માનવું ? ગુજરાતના સુપ્રસિદ્ધ વિવેચક શ્રી ચીનુભાઈ શાહે તાજેતરમાં પોતાના એક લેખમાં જણાવ્યું છે કે ભગવાનના ઉપદેશની વ્યાખ્યા ભૌતિક દૃષ્ટિથી નહી. પણ સનાતનનૈષ્ટિથી કરવી જોઈએ. સનાતનદષ્ટિનું સ્પષ્ટીકરણ કરતાં તેમણે જણાવ્યું છે કે સંસારના ભોગો દુ:ખના મૂળરૂપ છે તેથી એનો પરિત્યાગ કરીને જ વાસ્તવિક શાંતિની પ્રાપ્તિ કરવી જોઈએ. તેમના ઉપદેશમાં પરિગ્રહમર્યાદાનું અને દાનધર્મનું પ્રતિપાદન હતું પરંતુ તે સમાન અર્થવ્યવસ્થા સ્થાપવાની આધુનિક દૃષ્ટિથી કરવામાં આવતું નહીં. તેમણે સર્વવર્ણોના સમાનાધિકારવાળો સંઘ સ્થાપ્યો હતો પણ તે વર્ગવિહીન સમાજ રચવાના હેતુથી નહીં...વસ્તુતઃ ભગવાન મહાવીર સામેનો પ્રશ્ન તો વિશ્વસકલના આધ્યાત્મિક સુખ અને મુક્તિનો હતો. એ જ સનાતન સૃષ્ટિ તેમના ઉપદેશની પાછળ હતી. શ્રી શાહે સનાતનદૃષ્ટિની વ્યાખ્યા જે કરી છે તેનો એટલો જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy