SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ૦ માથુરી દેવારાધનનો પ્રકાર એટલે યજ્ઞ એ પણ વૈદિકોના જીવનમાં વણાઈ ગયું હતું. આ યજ્ઞની સાદી પ્રક્રિયા એટલી જ છે કે પોતાને પ્રિય એવી વસ્તુઓ દેવોને અર્પણ કરવી અને તે દ્વારા દેવોને પ્રસન્ન કરી મનોવાંછિત પ્રાપ્ત કરવું. ક્રમે કરી આ યજ્ઞનાં વિધિવિધાનો એટલાં જટિલ બની ગયાં કે તેમાં દેવો અને ભક્તો વચ્ચે એક પુરોહિત વર્ગ ઊભો થઈ ગયો. આને આજની ભાષામાં દેવોના દલાલો કહી શકાય. પરિણામ એ આવ્યું કે દેવારાધન આજના વ્યાપારની જેમ દલાલો વિના અસંભવ બની ગયું. આનો વિરોધ થવો સ્વાભાવિક છે, કારણ કે ધાર્મિક કોઈ પણ પ્રક્રિયા હોય પણ છેવટે તે વૈયક્તિક હોય છે અને તેને આ પ્રકારે સામાજિક રૂપ મળે તે સાધકથી સહ્ય બને નહિ. સાધક પોતાની સાધનામાં આ પ્રકારની પરતંત્રતા સહી શકે નહિ. આથી યજ્ઞનું રૂપ બદલવાની આવશ્યકતા ઉપર ભાર આપવામાં આવ્યો. અને પરિણામ સ્વરૂપે ક્રિયાયજ્ઞને સ્થાને જ્ઞાનયજ્ઞનો પ્રચાર કરવામાં આવ્યો. વૈદિક સંહિતાકાળમાં આરાધકો બાહ્ય વસ્તુઓનું અર્પણ કરી દેવોને ખુશ કરવા માગતા હતા, પણ તેમાં પણ જરા ઊંડા ઊતરી જોઈશું તો તેઓ ત્યાગ દ્વારા દેવોની નજીક, દેવોના સાંનિધ્યમાં આવવા મથતા હતા. એટલે કે બાહ્ય વસ્તુનો ત્યાગ દેવસાંનિધ્ય માટે અનિવાર્ય હતો અને જ્યાં સુધી મમત્વ હોય ત્યાં સુધી એ ત્યાગ સંભવે નહિ. એથી “આ મારું નથી, હું તે દેવને અર્પણ કરું છું.—આ ભાવના જ્યાં સુધી થાય નહિ, ત્યાં સુધી દેવારાધન શક્ય નથી અને જ્યારે કોઈ પણ વસ્તુમાંથી આ પ્રકારે મમત્વ દૂર થાય છે ત્યારે એ વસ્તુ વૈયક્તિક ન રહેતાં સામાજિક બની જાય છે, એટલે કે, જે વસ્તુને આપણે પોતાની જ માત્ર, માનતા હતા તેને હવે દેવો દ્વારા સમાજને અર્પણ કરીએ છીએ. આમ ધાર્મિક જીવનમાં યજ્ઞ દ્વારા સામાજિક ભાવના પણ ક્રમે કરી વિકાસ પામે એ એનું આનુષંગિક ફળ હતું અને આ રીતે યજ્ઞપ્રક્રિયામાંથી એક સુભગ પરિણામ નીપજયું, પણ સાથે સાથે તેની જટિલતાને કારણે તે યજ્ઞ એવો આત્યંતિક સામાજિક બની ગયો કે તેમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનો પણ લોપ થઈ ગયો. વ્યક્તિ પોતાની ધાર્મિક સાધનામાં પુરોહિતોને પરાધીન બની ગઈ. યજ્ઞની પ્રક્રિયામાંથી નીપજતા આ પરિણામે તેને સાવધાન કર્યો અને છેવટે સમગ્ર યજ્ઞના સ્વરૂપને જ બદલવા તે તૈયાર થઈ ગયો. આમાંથી તે કર્મકાંડરૂપ યજ્ઞને સ્થાને અથવા તો ક્રિયા– જ્ઞને સ્થાને જ્ઞાનયજ્ઞ તરફ વળ્યો. આમ જ્ઞાન અને ક્રિયાના વિરોધની શરૂઆત થઈ. તેમાં છેવટે ક્રિયાએ નમતું આપવું પડ્યું. અને ધાર્મિક જીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy