SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને જીવન ૦ ૯૩ જ્ઞાનયજ્ઞનું મહત્ત્વ સ્થપાયું. હવે આપણે તેનો વિશેષ વિચાર કરીએ. જ્ઞાનયજ્ઞ ઉપનિષકાળમાં વૈદિકો ક્રિયાયજ્ઞને છોડી જ્ઞાનયજ્ઞ તરફ વળ્યા છે તેમાં તેમનું એ વલણ બદલવામાં તે સમયના અવૈદિકોની વિચારણાનો ફાળો નજીવો નથી એમ વિદ્વાનો સ્વીકારતા થઈ ગયા છે. એ અવૈદિકો એટલે આજે જેને આપણે જૈન અને બૌદ્ધપરંપરા કહીએ છીએ તેના પૂર્વજો છે અને તે પૂર્વજોનો સંબંધ વિચારધારાની અપેક્ષાએ ઠેઠ મોહન—જો-ડેરો અને હરપ્પાની સંસ્કૃતિ સુધી લંબાવી શકાય એમ છે એવી સંભાવના પણ વિદ્વાનોએ કરી છે. જૈનો અને બૌદ્ધોનું વલણ, જીવનમાં અને ખાસ કરી ધાર્મિક જીવનમાં, પોતાના આરાધ્ય~પછી તે પોતાનો આત્મા હોય, ચિત્ત હોય કે તીર્થંકર કે બુદ્ધ હોય—એ આરાધ્ય અને પોતાની વચ્ચે કોઈને દલાલ કે પુરોહિતને સ્વીકારવાનું નથી. ક્રિયાયજ્ઞની ભાવનામાં ત્યાગનું મહત્ત્વ છે અને તેના વિરોધ કરનારા પણ ત્યાગને મહત્ત્વ આપે છે. પણ બન્નેમાં જે ભેદ છે તે એ કે જો ત્યાગ જ કરવો છે—તો પછી તેનું દાન આરાધ્યને નહિ પણ જેને ત્યક્ત વસ્તુની આવશ્યકતા છે તેને કરવું. વળી ત્યાગ એટલા માટે નં કરવો કે એથી વધારે સારી અને વિપુલ વસ્તુ બદલામાં મળે. યાજ્ઞિકો યજ્ઞ એટલા માટે કરતા કે એ યજ્ઞ કરવાથી તેમને વિપુલ માત્રામાં બાહ્ય સંપત્તિસંતાન-ગાયો-જમીન વગેરે મળે, પણ યજ્ઞના વિરોધીઓનું મંતવ્ય હતું કે ત્યાગનું ફળ આત્મામાં મમત્વભાવની નિવૃત્તિ થાય અને તે એટલે સુધી કે પોતાનું મન કોઈ પણ વસ્તુને પોતાની માનવા તૈયાર જ ન થાય. તો તે યજ્ઞનું ફળ બાહ્ય સંપત્તિ શા માટે માનવું ? યજ્ઞો દ્વારા પુનઃ સંપત્તિ પ્રાપ્ત કરીને સંસાર જ વધારવો છે ને ? આથી યજ્ઞ એ તો તરવા માટેની ફૂટેલી નૌકા છે. આ પ્રકારના વિરોધી વલણનું પરિણામ એ આવ્યું કે ઉપનિષદ્ કાળમાં વૈદિકોએ ક્રિયાયજ્ઞને સ્થાને જ્ઞાનયજ્ઞનું મહત્ત્વ સ્વીકાર્યું. આ રીતે આપણે જોઈએ છીએ કે ઉપનિષદ્ કાળથી સમગ્ર ભારતીય જીવનમાં ક્રિયાયજ્ઞ ઉત્તરોત્તર ગૌણ બનીને તેનું સ્થાન જ્ઞાનયજ્ઞે લીધું છે અને વૈદિકોમાં પણ સંન્યાસમાર્ગનું મહત્ત્વ ઉત્તરોત્તર સ્થપાયું છે. સંન્યાસમાર્ગ એ શ્રમણોનો મુખ્ય માર્ગ હતો તે હવે બ્રાહ્મણોએ પણ આત્મસાત્ કરવા માંડ્યો. પણ મૂળ સામાજિક માન્યતાઓ અને ધાર્મિક અનુષ્ઠાનમાં જે બંને પરંપરાનો ભેદ હતો તે આ કાળમાં પણ રહ્યો જ. વેદ અને તેની પરંપરામાં ઉત્તરોત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy