SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપુરાણ વાણિજ્યગ્રામના આનદ ગૃહપતિ એક વાર ભગવાનના દર્શને ગયા. ભગવાનની વાણી સાંભળી એમનું મન અતિ પ્રસન્ન થયું. એ ખાર પ્રકારના ગૃહસ્થયમ સ્વીકારીને શ્રમણેાપાસક બન્યા. આનંદની ધર્મ શ્રદ્ધા ઉત્તરાત્તર વધી રહી છે અને એ આકરાં ને આકરાં વ્રત આચરતા જાય છે. દેવટે, કાળનાં એધાણ પારખીને, એમણે મરણાંત અનશનનું આકરું વ્રત સ્વીકાર્યું અને સ્થિરતાપૂર્વક સમાધિમાં વખત વિતાવવા લાગ્યા. પેાતાની અંતિમ આરાધનામાં સમભાવપૂર્વક આગળ વધીને ચિત્તશુદ્ધિ કરતાં કરતાં આન ંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને એ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ-ત્રણે લોકને અમુક હદ સુધી જાણવા-જોવા લાગ્યા. એટલામાં ભગવાન વાણિજ્યગ્રામમાં સમે સર્યાં. આનદ શ્રાવકની અંતિમ સલેખનાની વાત સાંભળી ગુરુ ગૌતમ એમને સાતા પૂછવા ગયા. પણ એમને આટલું મોટુ અવધિજ્ઞાન ઊપજ્યાનું સાંભળીને ગૌતમસ્વામીએ શકા દર્શાવી કે ગૃહસ્થને આટલું જ્ઞાન ન સંભવે; અને ખેાટી વાત કહેવા માટે આનંદને માફી માગવા કહ્યું. આનન્દ્ગ શ્રાવકે પેાતાને એવું જ્ઞાન ઉત્પન્ન થયાનું દૃઢતાપૂર્વક કહ્યું, : ગુરુ ગૌતમે ભગવાન પાસે આવીને પેાતાની શંકા પૂછી. ભગવાનને કહ્યું : ગૌતમ, આનંદની વાત સાચી છે. તે એક જ્ઞાનીના જ્ઞાનમાં શકા કરીને એમની વિરાધના કરી, માટે તારે એમની માફી માગવી ઘટે!? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy