SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પદ્મપાગ સ્થિર ભાવે, આતાપના લે. એનું તપ અને ધ્યાન જોઈ ભલભલાનાં અંતર ભક્તિથી નમી પડે. તપ અને ધ્યાનના પ્રભાવે એને કમળ દૂર થવા લાગ્યા; અજ્ઞાનનાં પડળ પણ ધીમે ધીમે ઊતરવા લાગ્યાં. અને એક દિવસ પુદ્ગલ પરિવ્રાજકને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું. અને એને બ્રહ્મલેાક સુધીના વિશ્વનાં દન થવા લાગ્યાં. અને તે દરિદ્રને ધનભંડાર લાધ્યા જેવું થયું! દિબ્ય જ્ઞાન લાધ્યાની થોડીક હષ ઘેલછા અને થોડાક ગવ એને વળગ્યાં એણે તે માની લીધું કે મારા જ્ઞાનમાં બધી દુનિયા સમાઈ ગઈ! મારે હવે જાણવાનું કંઈ બાકી નથી રહ્યું. લાકોને મન પણ એ મહાજ્ઞાની બની ગયા. : એક વાર ભગવાન મહાવીર એ નગરીમાં સમેાસર્યાં. ગુરુ ગૌતમ નગરમાં ભિક્ષા લેવા ગયા, ત્યારે લોકોને માઢેથી એમણે પુદ્ગલ પરિવ્રાજકના દ્વિવ્ય જ્ઞાનની વાત સાંભળી. ( પાછા આવીને એમણે ભગવાનને સાચી વાત પૂછી. ભગવાને કહ્યું : પરિત્રાજકને દિવ્ય જ્ઞાન પ્રગટયુ છે એ સાચી વાત છે, પણ એ જ્ઞાન અધૂરું છે. એ માને છે એટલી જ દુનિયા નથી. ’ પુદ્ગલ પરિવ્રાજક પેાતાને જ્ઞાની માનતે, પણ એ સરળ પરિણામી આત્મા હતેા. ભગવાનની વાત એના કાને પહોંચી અને એક જિજ્ઞાસુની જેમ નમ્ર મનીને એ ભગવાનની પાસે પહોંચ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy