SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ રાજમહેલના ત્યાગીને હવે રાજમહેલ કે હવેલીની કઈ ખેવના ન હતી. વૈભવ-વિલાસ તો એમને મન બેડીઓ જેવા બની ગયા હતા. અને સુખસગવડને તો એમને કઈ વિચાર જ આવતો ન હતે. કેઈને અગવડ ન થાય, કેઈને અપ્રીતિ ન થાય, મેહમાયાનું કઈ બંધન આડે ન આવે એવી ડીક જગા મળી રહે એટલે બસ. વૈશાલી તે કેવી ભાગ્યશાળી નગરી! તેમાંય ભગવાનનું તે એ વતન. એ ઇરછે તે એક કરતાં એકવીસ ઉતારા એમને મળી રહે, પણ ભેખ ધરીને ચાલી નીકળેલાને તે બધી ધરતી સરખી હતીઃ શું હવેલી કે શું ઝૂંપડું! ભગવાને તે એક લુહારના ડેલામાં ઉતારે કર્યો. એ ડેલાનો માલિક લુહાર છ મહિનાથી માંદો હતે.. અને રોગથી હેરાન થઈને એ બીજે ચાલ્યો ગયે હતે. એ. સાજો થઈને પિતાનાં સગાં-વહાલાં સાથે આજે જ પિતાની કઢમાં પાછા આવ્યું હતું. આવતાવેંત એણે જોયું તે એક મૂંડિયે પિતાના મકાનમાં ઊતરેલો ! એ તે ચિડાઈ ગયેઃ માંડ માંડ મતના મોંમાંથી. બચીને, સાજો થઈને, આજે ઘેર પાછા આવ્યા, ત્યાં પહેલાં દર્શન આ મૂડિયાનાં થયાં! કેવાં મેટાં અપશુક્લ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy