SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પદ્મપરાય વાસ કરીને રહેલી કરુણા અને વિશ્વમૈત્રીના તેજપુંજ રામ રામમાં પ્રગટવા લાગ્યા. કુમારના અંતરમાં સાચા યાગીનુ શૂરાતન વ્યાપી ગયું અને એણે મનમાં દૃઢ સંકલ્પ કર્યાં : આ યુદ્ધ પણ જીતીશ અને અવૈરની પ્રતિષ્ઠા પણ કરીશ ! મારુ સેનાપતિપદ એ રીતે જ સાક થશે ! અને, જાણે અંતરની ખધી મથામણુ શાંત થઈ ગઈ હાય એમ, એનુ અંતર પ્રશાંત અની ગયું. એના મુખ ઉપર સ્વસ્થતા અને શાંતિની રેખાએ ઊપસી આવી. પછી પાર્શ્વ કુમારે કલિ ગરાજ અને એના સાથી રાજાએ પાસે પેાતાના મંત્રી પ્રભાકરને મેકલીને પેાતાના અંતરની વાત સમજાવી, યુદ્ધ અને વૈરની વિનાશકતાનો એમને ખ્યાલ આપ્યા, અને સાથેાસાથ તેઓ કેવું અકાય કરવા તૈયાર થયા હતા, એ પણુ સમજાવ્યું. નક અને કામિનીનાં કામણુ તે સદાકાળ કલહુનાં જ - કારણ લેખાયાં છે. આવી કામિનીને છતી શક્તિએ જતી કેમ કરાય ? કલિંગરાજ વગેરેને પહેલાં તે પાર્શ્વ કુમારની આવી અધી વાત નકામી અને નમાલી લાગી; અને એક વાર યુદ્ધનો નાદ ગજાવ્યા પછી આ રીતે યુદ્ધની ભૂમિમાંથી પાછા ફરવામાં સૌને નાનમ પણ લાગી. પણ પાર્શ્વ કુમાર એમ નિરાશ થાય એવા ન હતા. છેવટે, કોઈ પણ શસ્ત્ર કે સાથીને સાથે લીધા વગર, એ પેાતે જ કલિ’ગરાજની સામે જઈને ખડા થાય, અને સંહાર-નિવારણની પેાતાના અંતરની વાત એમણે પેાતાને સુખે એમની પાસે રજૂ કરવાની હિંંમત દાખવી ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy