SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ - પાપગ પાંચ કે એકાવન લેગસ્સનો કાઉસગ્ગ કરે; અને જ્ઞાનનાં સાધન સમક્ષ એકાવન ખમાસમણાં (નમસ્કાર) દેવાં. બને તે એ પર્વના દિવસે સાધુ જેવું પવિત્ર જીવન જીવવા પૌષધ કરવો. વિશુદ્ધ મનથી બ્રહ્મચર્યનું પાલન કરવું. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનું બહુમાન કરવું, એમની જરા પણ વિરાધના, આશાતના કે અવહેલના ન થાય એની પૂરી જાગૃતિ રાખવી. આ માટે તો કેવળ પર્વના દિવસે જ નહીં પણ જિંદગીભર ખબરદારી રાખવી; અને વિદ્યા-ઉપાર્જન કરવા માટે વિનય, નમ્રતા અને ગુરુ પ્રત્યે પૂર્ણ આદર સાથે પ્રયત્ન કરે. પાંચ જ્ઞાનના પ્રતીક રૂપે પાંચ દિવડા પ્રગટાવવા, અક્ષતના પાંચ સ્વસ્તિક કરવા, અને પિતાની શક્તિ પ્રમાણે પાંચ પાંચ ફળનૈવેદ્ય જ્ઞાન પાસે અર્પણ કરવાં. આ દિવસ જ્ઞાન અને જ્ઞાનીના મહિમાનું શાંત ચિત્તે ચિંતવન કરવું, અને સ્વાધ્યાય કરે. જ્ઞાની ગુરુએ પિતાની વાત પૂરી કરતાં કહ્યું : “જે -નર-નારી આ રીતે જ્ઞાનપંચમી મહાપર્વની આરાધના કરશે, તે અજ્ઞાનને મહાસાગર તરીને પિતાના આત્માનું કલ્યાણ સાધી જશે.” એ પર્વનું અણીશુદ્ધ રીતે આરાધના કરીને ગુણમંજરી Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy