SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી થઈ, પણ એ બધાં તે બેસી જ રહ્યાં ! ગુરુએ કરુણાભર્યા સ્વરે પૂછ્યું : · કહે! મહાનુભાવો ! હજીયે કઈ ધકથા કરવી છે કે મનની કોઈ તત્ત્વજિજ્ઞાસા સંતાષવી છે, કે કોઈ શંકાનું સમાધાન મેળવવુ છે? જે હોય તે મનની વાત વિના સંકોચે કહો. પ્રભુનુ શાસન તે જગત આખાનું શરણુ મને એવું કરુણાભીનુ અને ઉદાર છે.’ શ્રેષ્ઠી સિ’દત્તે કહ્યું : ‘ ગુરુદેવ, ખીજું તેા કંઈ નથી પૂછ્યું, પણ આ અમારી જન્મથી મૂગી અને રાગી પુત્રી ગુણુમંજરીનુ ભાગ્ય જાણવું છે અને એના દુઃખને દૂર કરવાને ઇલાજ સમજવો છે. બિચારી દીકરીના દુઃખને કચાંય આર નથી ! અમારી ચિંતાને પણ કોઈ અવિષે નથી!’ રાજા અજિતસેને વિનંતી કરી અને પ્રભુ, આ મારા પુત્ર વરદત્ત સાવ મૂર્ખ અને અંગેઅંગે કાઢના રોગવાળા શા કારણે અન્યા, અને હવે એ સાજો અને શાણો શી રીતે થાય એ જાણવુ' છે. કૃપા કરો !’ : “ પળવાર વિચાર કરીને ગુરુએ લાગણીભર્યા સ્વરે કહ્યું : • સાંભળે। શ્રેષ્ઠી ! અને રાજાજી, તમે પણ સાંભળે ! આ સંસારમાં દેખાતાં તમામ સુખ-દુઃખ એ કેવળ ક રાજાની જ ભેટ છે. જેવી કરણી તેવી ભરણી, એ કુદરતને અટલ નિયમ છે. જેવું વાળ્યું તેવું લણીએ અને જેવું કર્યુ તેવુ' પામીએ, એમાં કઈ મીનમેખ કરી શકે નહીં. કાર્ય - કારણના આ નિયમથી કોઈ ખચી શકતુ નથી. ગુણુમાંજરી અને વરદત્ત બન્નેને એમના કર્યાં કમ જ ઉદ્ભયમાં આવ્યાં છે. એટલે પેતપોતાનાં અશુભ કર્મોનાં કડવાં ફળ એ અત્યારે Jain Education International ૧૬૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy