SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ વાહ રે કુદરત, તારે ન્યાય! પદ્મપુર નગરનાં શેઠ-શેઠાણી અને રાજા-રાણી બેય સમદુખિયાં એકનું દુઃખ બીજાના દુઃખની યાદ આપે. સિંહદાસ શેઠ અને કપૂરતિલકા શેઠાણીને રાત-દિવસ પુત્રી ગુણમંજરીના ભાગ્યની ચિંતા સતાવ્યા કરે છે. અજિતસેન રાજા અને યશોમતી રાણી નિરંતર પુત્ર વરદત્તના ભાગ્યને વિચાર કર્યા કરે છે. બેય મા-બાપ ખૂબ મૂંઝાયાં કરે છે, પણ શું કરવું અને તેને પૂછવું એની એમને કશી સૂઝ પડતી નથી. એવામાં એક દિવસ નગરના ઉદ્યાનમાં એક મહાજ્ઞાની ધર્મગુરુ પધાર્યા, ગુરુ પણ કેવા? જાણે જ્ઞાનના સાગર! અગમનિગમના ભેદ ઘડીભરમાં ભાખી દે અને મનની ભીતરની વાત પણ દીવા જેવી ચોખ્ખી સમજાવી દે! વિજ્યસેનસૂરિ એમનું નામ. જાણે અજ્ઞાન અને કષાયની મહાસેના ઉપર વિજ્ય મેળવનાર મહાજ્ઞાની અને મહાગી! સમતાના સાગર અને શાંતિના અવતાર! સૌના મિત્ર, સૌના હિતચિંતક. શેઠ-શેઠાણી અને રાજા-રાણીને મન તે બળબળતા રણમાં મીઠી વીરડી કે શીળી છાંયડી મળવા જેવું થયું. એમનાં મન કંઈક શાતા અનુભવી રહ્યાં. પિતાનાં સંતાન સાથે ચારેય જણાં ગુરુનાં ચરણમાં જઈ પહોંચ્યાં, અને ગુરુની ધર્મવાણીને એકચિત્તે સાંભળી રહ્યાં. - ધર્મદેશના પૂરી થઈ અને આખી પર્ષદા વિસર્જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy