SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પદ્મપરાગ - દીકરી અવતર્યાને માતા-પિતાને આનંદ છેડા દિવસમાં જ ઊડી ગયે! માતા-પિતા તે પુત્રીને જોતાં અને એમનાં અંતર કળી ઊઠતાં. હે ભગવાન, આ તે કયા જનમનાં પાપ જાગ્યાં કે બિચારી પુત્રીને, એના અવતાર સાથે જ, આવા રોગના સરાપ મળ્યા ! ગુણમંજરી જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ એને રેગ પણ વધતે ગયે. અને એનું મૂંગાપણું તે એને અસહ્ય અને વધારે દુઃખકારક બનતું ચાલ્યું. બિચારીનું જીવતર જાણે દુઃખ, શેક અને વેદનાને ખારે દરિયે જ બની ગયું ! મહેલ જેવા ઘરમાં ખાન-પાન અને મેજ-શેખની સામગ્રીને કેઈ પાર ન હ; પણ ગુણમંજરીનું શરીર એવું તે રોગગ્રસ્ત બન્યું હતું કે બાપડી બે ટંક ધરાઈને ધાન પણ ખાઈ ન શક્તી, તે પછી મેવા-મીઠાઈ કે બીજા સ્વાદ અને ગઠિ ભેજની તો વાત જ શી કરવી ? એના ભાગ્યમાં તે જાતજાતનાં બેસ્વાદ ઓસડિયાં જ જાણે લખાઈ ગયાં હતાં ! અને ઉંમર વધતી ગઈ તેમ તેમ અંતરમાં દુઃખની, વેદનાની અને બીજી કંઈ કંઈ લાગણીઓ ઊભરાવા લાગી. પણ એ લાગણીને વ્યક્ત કરવાની વાચાનું વરદાન એને મળ્યું ન હતું. કંઈ કંઈ ઊર્મિઓ અંતરમાં જ જન્મીને અંતરમાં જ વિલીન થઈ જતી–સાગરના તરંગે સાગરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy