SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાનાં મૂલ ૧૫૧ હતે. જે ભક્તજન પ્રભુચરણે વધુ દ્રવ્યનું સમર્પણ કરે એના કંઠમાં ઇંદ્રમાળા આરે પણ કરવાની હતી–પછી એ રાજા હોય કે રંક ! . દેવમંદિર આ મંડપ મહામંત્રી વસ્તુપાળ, મંત્રી તેજપાળ, એમનાં સ્વજને, ધર્માચાર્યો, શ્રેષ્ઠીઓ અને યાત્રીઓથી ભરાઈ ગયું હતું. - ઈદ્રોત્સવની પુષ્પમાળા લઈને મંદિરના અધિકારી ત્યાં ખડા હતા. જીવનની કૃતાર્થતાની એંધાણી સમી એ પુષ્પમાળાનાં મૂલ થઈ શકે એમ ન હતાં. અધિકારીએ ઇંદ્રમાળા પહેરાવવાની બેલી શરૂ કરી. કેઈએ હજાર દ્રમ્ભ કહ્યા, કેઈએ દસ હજાર તે કેઈએ પચાસ હજાર ! જોતજોતામાં બેલી લાખ દ્રમ્મ સુધી પહોંચી ગઈ. ભગવાનની ભક્તિની ભાવના આગળ આજે લાખ દ્રમનું જાણે કઈ ભૂલ નહેતું. સૌને એમ કે ધન ચાહે તેટલું પ્રભુચરણે સમપર્ણ થાય, પણ એ માળા હું ધારણ કરું; આ અવસર ક્યાં વારંવાર મળવાનો છે? ત્યાં તે જાણે ભાવનાનું પૂર વહી નીકળ્યું હતું. રંગ તે ત્યાં એ જામે હતું કે કઈ પાછું પડવા માગતું ન હતું. ત્યાં દૂર દૂર ખૂણામાં એક માનવી ઊભેલ. મેલાંઘેલાં એનાં કપડાં, અને ગામડિયા જેવા એના દેદાર. મોઢા ઉપર ન કેઈ તેજ કે દેહ ઉપર ન કેઈ ઓજસ ઃ સાવ ભલેભેળે આદમી ! ગરીબીને જ અવતાર! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy