SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાનાં મૂલ ૧૪૩ બને ભાઈ બુદ્ધિ, બળ અને ધનના સ્વામી હતા, પણ બધાય કામમાં એમની સલાહકાર હતી એક જાજરમાન નારી. દેવી અનુપમા એનું નામ. મંત્રી તેજપાળની એ ધર્મપત્ની. હૃદયની નિર્મળતા, મનની ઉદારતા અને બુદ્ધિચાતુરીમાં એ સાચે જ અનુપમ હતી. અનુપમાના બેલને બને ભાઈને મન ભારે તોલ હતે. જાણે કેઈ કુલતારિણું દેવી એમને ત્યાં અનુપમ રૂપે કુળવધૂ બનીને આવી હતી. - જરૂર પડતી ત્યારે બન્ને ભાઈ કુરુક્ષેત્ર જેવું રણક્ષેત્ર ખેડવામાં મોખરે રહેતા અને શાંતિને વખત હોય ત્યારે ધર્મક્ષેત્રનું શરણ શોધતા. | ગુજરાતમાં ત્યારે સુખ-શાંતિ અને આબાદીને સમય પ્રવર્તતે હતે. એક દિવસ મહામંત્રી વસ્તુપાલ ધમગારમાં આચાર્ય નરચન્દ્રસૂરિ પાસે બેઠા હતા. રસભરી ધર્મચર્ચા ચાલી રહી હતી. મંત્રીશ્વર ઉપર વિદ્યા દેવીની પણ કૃપા હતી. શાસ્ત્રવાર્તા અને વિદ્યા- વિદમાં એ બીજું બધું વીસરી જતા. તીર્થયાત્રા તરફ મંત્રીશ્વરને ખૂબ પ્રીતિ હતી; સમય મળે કે યાત્રા કરવાનું ન ચૂકે. ગુરુ સાથે ધર્મવાર્તા કરતાં કરતાં એમને થયું મેટા સંઘ સાથે શત્રુજ્ય અને ગિરનાર જેવાં મહાતીર્થોની ફરી યાત્રા કરી શકાય તે કેવું સારું ! . અને તરત જ એમણે નિર્ણય કર્યો; ભાઈ તેજપાછી અને દેવી અનુપમાને પૂછી લીધું અને પછી આચાર્યશ્રીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy