SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પદ્મપરાગ • ખેડૂતે તે કુમાર મૂળરાજની દયાને સંભારતાં અને એનાં વખાણ કરતાં થાકતા જ નથી. એ તે કહેતા ફરે છેઃ “સારા પ્રતાપ કુમાર મૂળરાજના !” પછી તે ખેડૂતે હોંશે હોંશે ટોળે વળીને રાજા -ભીમદેવ પાસે પહોંચ્યા અને એમને વિનંતી કરવા લાગ્યાઃ ગયે વરસે આપે કૃપા કરી તે આ વરસે આટલી વધુ કૃપા કરે. ગયા વરસનું બાકી રહેલું અને આ વરસનું ચડેલું એમ બમણું મહેસૂલ લ્યો! રાજાના ભંડારમાં હશે તે છેવટે ક્યારેક એ પ્રજાને જ કામ લાગશે !” પણ મહારાજા ભીમદેવ ન માન્યા. કુમાર મૂળરાજને આપેલું વરદાન પાછું કેમ ખેંચાય? તે તે કુળની પ્રતિષ્ઠા અને વચન બને જાય! અને વચન જાય પછી પૈસે શા કામને? એક બાજુ ખેડૂતે બમણો કર આપવા પિતાને આગ્રહ છેડતા નથી, બીજી બાજુ રાજા ભીમદેવ બમણે કર લેવા કેઈ વાતે રાજી થતા નથી. પ્રેમને ભારે કલહ - જામી ગયે. દેવોને દુર્લભ એ એ અવસર હતે. છેવટે એ દ્રવ્યથી સૌને પ્રિય એવા કુમાર મૂળરાજના સ્મરણ નિમિત્તે એક દેવમંદિર ઊભું કરવામાં આવ્યું. અને શુભ દિવસે અને શુભ મુહૂર્ત, ભારે ઉત્સાહ અને ઉત્સવપૂર્વક, એમાં દેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ દેવમંદિરમાં અને એ દેવપ્રતિમામાં ભાંગ્યાના ભેરુ કુમાર મૂળરાજની સ્મૃતિ અમર બની ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy