SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પદ્મપરાગ દિવસે લેકનજરે વધુ બલીન સાબિત થયા ! અને બન્ને જ્ઞાની અને સુવિહિત શ્રમણના પ્રયાસ સિદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા.. પુરોહિત સેમેશ્વરદેવની દઢતા સફળ થઈ. પણ વાત આટલેથી પતે એવી ન હતી. આ તો હજી પાશેરમાં પહેલી પૂણી જેટલું જ કામ થયું હતું, અને મુખ્ય કામ તે હજી બાકી જ હતું. સુવિહિત સાધુઓને પાટણ તરફનો વિહાર અને પાટણમાં નિવાસ કળ બને તે જ ધારેલું કાર્ય કંઈક પાર પાડ્યું લેખાય; નહીં તે, આ વ્યક્તિગત સિદ્ધિનું શું મૂલ્ય અને એથી કામ પણ શું થઈ શકે ? બન્ને આચાર્યોની આ મનેભાવના સોમેશ્વરદેવ બરાબર સમજતા હતા. એટલે એમણે દુર્લભરાજને વિજ્ઞપ્તિ કરતાં કહ્યું: “મહારાજ, આપે સુવિહિત શ્રમણને રહેવાની અનુમતિ તે આપી, પણ હવે કૃપા કરી એમને માટે નિવાસભૂમિ પણ આપ જ આપ! સ્વતંત્ર નિવાસભૂમિ વગર આવા ઉત્તમ મુનિવરે નિશ્ચિત રીતે અને નિરાકુલપણે ક્યાં વાસ કરી શકે ? અને આવા સંતે તે પાટણ માટે શેભા અને ગૌરવ ગણાય ! ” | દુર્લભરાજ વાતનું વાજબીપણું તરત જ સમજી ગયા. અને, ચૈત્યવાસીઓની હક્ક અને અધિકારની વાતેની પરવા કર્યા સિવાય, એમણે ત્યાં આવી પહોંચેલા શૈવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy