SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદારતા ૧૨૫ જાણે કહેતુ હતુ : આવી ઉચિત અને વિવેકભરી વાતમાં કોઈ ને દેષપાત્ર પણ કેમ ઠેરવી શકાય ? પરંતુ છેવટે આડે માગે ક્ટાયેલી ધર્મ સત્તા આગળ રાજસત્તા કંઈક વિચારમાં પડી ગઈ, અને દુર્લભરાજ પેાતાના પૂજોથી ચાલી આવતી આ પરપરાની સામે ફેસલે આપતાં જાણે સંકાચ અનુભવી રહ્યા ! છતાં એમણે એટલુ તા કહ્યું જ કે ‘ગુણીજનાનુ પૂજન એ તેા રાજ્યના ધર્મ છે; અને આવા શીલસ પન્ન પુરુષાથી તે આપણા નગરની શેાભા વધે છે. આવા ધર્મીપુરુષાના આગમનથી રાજ્યનું કલ્યાણ થાય છે, અને જનસમૂહ. ધર્મના સાચા માર્ગ સમજી શકે છે.’ પછી એમણે ચૈત્યવાસીઓને ઉદ્દેશીને કહ્યું : ‘ આપના અધિકારમાં ખાધા કરવા માટે નહીં, પણ આવા સુવિહિત શ્રમણા આપણા નગરમાં રહી શકે એટલા માટે સામેશ્વરદેવની વાત આપ અમારી પ્રાર્થનાથી કબૂલ કરો. ’ ચૈત્યવાસીઓ પણ કંઈક ઢીલા હતા. તેઓ ધનુ તેજ ગુમાવી બેઠા હતા એટલે એમના મનમાં તાકાત પણ શી હાય ? એ સમજી ગયા કે રાજાજીની ઇચ્છા વિરુદ્ધ પેાતાની વાત માટે વધારે પડતી જીદ કરવી સારી નથી; વળી, પેાતાની વાતમાં વાજબીપણાનું મળ તા હતુ જ નહી.. એટલે એમણે વિશેષ મમત કરવાને બદલે રાજાજીની સત્તાની આગળ પેાતાના શાણપણને નમતું જોખવામાં જ સાર માન્યો. અંદરથી અલહીન અનેલા ચૈત્યવાસીઓ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy