SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદારતા ૧૧૯ વૃદ્ધ સૂરિજી પિતાની મંગલ ભાવનાના અવતાર સમા એ બને શિષ્યને લાગણીપૂર્વક નીરખી રહ્યા. વસતી(ઉતરા)ની શોધમાં શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણની શેરીએ શેરીએ ફરી રહ્યા છે અને ઠેર ઠેર પૂછપરછ કરી રહ્યા છે, પણ કેઈ ઠેકાણે એમને આવકાર મળતું નથી. ચૈત્યવાસને અભેદ્ય ગઢ બનેલું પાટણ જાણે એમને બધેથી જાકારે ભણી રહ્યું છે ! આત્માના ઊંડા ભેદ સમજાવે એવું જ્ઞાન અને હંસની પાંખ જેવું શુભ્ર ચારિત્ર આજે પાટણમાં કેઈને ખપતું નથી! અને કેઈકને એ ગમી જાય છે, તે પણ એ ચેત્યવાસની બીકે પિતાના અંતરને ઉઘાડી શકતા નથી ! બન્ને આચાર્યો ઠેર ઠેર ફરતા જ રહ્યા, અને નગરના વિકૃત રંગઢંગને તમાશે જોતા જ ગયા. કેઈકને તે પહેલે પગલે જ અવળા ગણેશ મંડાયાનું લાગી જાય એ કંટાળાજનક અને વિચિત્ર આ અનુભવ હતા. પણ બને શ્રમણોને તે એ લાભકારક અને પ્રેરક બની ગયે. પિતાને કેવું કપરું કામ પાર પાડવાનું છે એને જાણે એમને કાર્યના આરંભમાં જ બધપાઠ મળી ગયે. ગુરુની મનોવેદનાને તેઓ વધુ સ્પષ્ટતાપૂર્વક સમજી શક્યા, અને પિતાના અંતરને વધુ સજ્જ બનાવી રહ્યા. મધ્યાહ્ન થયે છતાં એમને ઊતરવાનું કેઈ સ્થાન ન મળ્યું. આ ક્ષેત્રમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે તે એમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy