SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયશ્ચિત્ત ૧૦૭: એમણે વિચાર્યું : આ ડોસાને જરૂર સાઠે બુદ્ધિ નાસ્યા જેવું થયુ' છે, અને ઘડપણે એમની તાકાતને હરી લીધી છે, એટલે જ આવી પેાચી પાચી, ડાહી ડાહી અને નમળી નખળી વાત કરે છે! પણ આવે! અવસર કઈ વારેવારે થાડો આવે છે? એ તે અવસર ચૂકયો એ ટૂખ્યા ! અને વળી આ તેા રાજકાજના મામલા ! એમાં ખજાને ખાલી રહે એ કેમ ચાલે ? અને ભલાભાળા થઈ ને રહીએ તેા એ ભરાય પણ કેમ કરી અને રાજના કારાખાર પણ ચાલે કેવી રીતે ? અને તે પેાતાના સાથીદારો સાથે પેલાં પરદેશી વહાણો ઉપર તૂટી પડયા. અને એમાંની બધી માલ-મિલકત લૂટીને એમણે ઘરભેગી કરી દીધી ! એમણે મનેામન માની લીધું કે આટલી બધી મિલક્ત જોશે. એટલે બાપુ આપણા ગુને જરૂર ભૂલી જશે અને ઊલટી આપણને શાખાશી આપશે. અરે, સાનુ દેખીને તે મુનિવર પણુ ચળી જાય, તે પછી બાપુ તે એક સંસારી જીવ ! એમને ચળી જતાં કેટલી વાર? અને બધી માલ-મત્તા લઈને દીકરા બાપુની પાસે હાજર થયા, અને શાબાશીની વાટ જોતા ઊભા રહ્યા. યેાગરાજ તા એ બધુ જોઈને થંભી જ ગયા. એમની અંતરવેદનાને કાઈ સીમા ન રહી. પણ એ સમજી ગયા કે આ માટે હવે દીકરાઓને ઠપકા આપવા કે શિખામણુ આપવી સાવ નિક છે. પથ્થર ઉપર ગમે તેટલું પાણી રેડો પણ એનું પરિણામ શુ? અવસરની ગંભીરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy