SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦] રાગ અને વિરાગ કોઈને અચલ મૂર્ખ લાગ્યો. કોઈકે એને બહાદુર કહીને બિરદાવ્યો. પણ અચલને એની કશી ખેવના ન હતી. એ તો પોતાના કામમાં પરોવાઈ ગયો. દિવસો તો પાણીની જેમ વહી જવા લાગ્યા, પણ ચોરનો કોઈ પત્તો ન લાગ્યો ! એક એક દિવસ વીતે છે, અને અચલના પુરુષાર્થમાં ભરતી આવે છે. પણ બધું જ નકામું ! આભ-પાતાળ એક કરીને પણ કામ પૂરું કરવાની એમની ટેવ અને ટેક આજે ફાવતી નથી. બધે નિષ્ફળતાએ પોતાનો પંજો પ્રસારી દીધો છે. એમ ને એમ બાર દિવસ વીતી ગયા ! હવે તો માત્ર ત્રણ જ દિવસ આવા નકામા વીતે અને આખી જિંદગીનો ખેલ ખલાસ ! અચલ વિમાસણમાં પડી ગયો : હવે શું કરવું ? એને મોતનો તો ડર ન હતો, સદા ય ખડિયામાં ખાંપણ લઈને ફરનારો એ વીર નર હતો. પણ કામ પાર ન પડે તો પોતાનું શુરાતન લાજતું હતું, એનું એને દુઃખ હતું. આમાંથી ઊગરવાનો ઇલાજ શો ?– એ વિચારમાં ને વિચારમાં એ છેક મધરાત સુધી ફરતો જ રહ્યો. ફરતાં ફરતાં મસાણમાં જઈ પહોંચ્યો. જોયું તો એક અઘોરી જેવો વિકરાળ માનવી જલતા મડદાની ચિતા પાસે ધૂણી ધખાવીને બેઠેલો – કોઈ મહાપિશાચ જ જોઈ લ્યો ! એને જોતાં જ માનવી હેબતાઈ મરે કે ફાટી પડે એવો બિહામણો ! પણ અચલને તો ભય સ્પર્શતો જ નહીં . એના મનમાં જાણે ઊગી આવ્યું : અદ્દભુત ચોરની ભાળ મળે તો આવા કોઈ અદ્ભુત માનવીની સહાયથી જ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy