SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયશ્ચિત્ત ૫૫ પણ યોગરાજ આ વાત સહન ન કરી શક્યા. એમણે તરત જ જવાબ આપ્યો : “ આવું અકાર્ય કરવાની મારી તમને સાફ ના છે. તમે કોઈ આ કામમાં હાથ ન ઘાલશો. આવું અણહકનું લાવશો તો, એમાં ભગવાન રાજી નહીં રહે, અને આપણા વંશ ઉપર લાગેલ કલંક વધારે ઘેરું થશે એ વધારામાં ! તમારા દાદા વીર વનરાજના વખતથી ચાલ્યું આવતું આપણા કુળ ઉપરનું કલંક હજી લોકજીભેથી ભૂંસાયું નથી, ત્યાં તમે આવું નઠારું કામ કરશો તો એ કલંક વજ્જર જેવું પાકું થઈ જશે, અને પછી તો લાખ પ્રયત્ન ય એ નહીં ભૂંસાય. માટે મારા પુત્રો, તમે આવા લોભમાં ન તણાઓ અને આવી લૂંટ કરવાનો વિચાર માંડી વાળો ! મારી તમને એ જ આજ્ઞા છે. એનાથી વિરુદ્ધ ન વર્તશો, અને એનું બરાબર પાલન કરજો ! ” ત્રણ પુત્રો સાંભળી રહ્યા. એમને થયું કે હવે આ માટે સતનું પૂછડું બનેલા આ ડોસા સાથે વધુ જીભાજોડી કરવી નકામી છે ! અને એ તો તરત જ ચાલતા થયા. પુત્રનાં લક્ષણો જોઈ યોગરાજ વધુ ચિંતામાં પડી ગયા. એ વેદનાભર્યા સ્વરે બોલી ઊઠ્યા : “ભગવાન, આ જતી ઉંમરે આ એક વધુ કલંક મળવાનું લલાટે લખાયું છે કે શું ? ” પણ એ વેદના સાંભળનાર ત્યાં કોઈ ન હતું. અને જે બાજી એમના હાથ બહારની હતી એમાં એ કરી પણ શું શકે ? દીકરાઓ તો પોતાની વાતમાં મક્કમ હતા. એમણે વિચાર્યું ઃ આ ડોસાને જરૂર સાઠે બુદ્ધિ નાસ્યા જેવું થયું છે, અને ઘડપણે એમની તાકાતને હરી લીધી છે ! એટલે જ આવી પોચી પોચી, ડાહી ડાહી અને નબળી નબળી વાતો કરે છે ! પણ આવો અવસર કંઈ વારંવાર થોડો આવે છે ? એ તો અવસર ચૂક્યો એ વ્યો ! અને વળી આ તો રાજકાજના મામલા ! એમાં ખજાનો ખાલી રહે એ કેમ ચાલે ? અને ભલા-ભોળા થઈને રહીએ તો એ ભરાય પણ કેમ કરી ? અને તેઓ પોતાના સાથીદારો સાથે પેલાં પરદેશી વહાણો ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy