SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ અને વિરાગ ૫ રાજીમતી કંઈક ભાનમાં આવે છે અને કંદન કરે છે : “ નાથ ! શું મને એકલી મૂકીને ચાલી નીકળ્યા ? ના, ના, એમ ન બને ! સ્વામી ! વાળો, વાળો, તમે રથડો વાળો ! કેટકેટલા ભવની પ્રીત ! અને આમ ઉવેખીને ચાલ્યા જશો ?” . સૌનાં નેત્રો આંસુ ભીનાં થાય છે. રાજીમતી કહે છે : “ સ્વામી, તમે જીવદયા પ્રતિપાળરે તમે રથ પાછો વાળો, પાછો વાળો, રથને પાછો વાળો !" ત્યાં તો કોઈ બહાર કરુણાદ્ર સ્વરે ગાતું સંભળાય છે : “સુણી પશુડા પોકાર, નેમે છોડી રાજુલ નાર !” રાજીમતી ફરી કહે છે : “ પશુઓની કરુણા જાણનાર નાથ, શું મારા ઉપર કરુણા નહી વરસાવો ? શું મારા તરફ કૂર બનશો ?" માતા અને સખીઓ મૂઢ બની સાંભળી રહી. રાજીમતી વધુ સાવધ બન્યાં ને બોલ્યાં “ ના, ના, આવો કરુણાસાગર કંથ કદી પોતાની કામિની પ્રત્યે ક્રૂર બને ખરો ? સખી, મારો નાથ પાછો નથી વળી ગયો ! એ તો મને પોતાની પાછળ વિરાગને પંથે આવવાનું આમંત્રણ આપી ગયો છે ! પોતે તરે અને પોતાની પ્રિયતમા ડૂબે એમ કયો પ્રિયતમ ઇચ્છે ? મા, જો જો, સાંભળ, મારો નાથ મને સાદ દઈ રહ્યો છે. એનો માર્ગ એ જ મારો માર્ગ ! " સ્વજનોનાં આનંદ-અશ્રુ પળવારમાં શોકનાં આંસુમાં પલટાઈ ગયાં. રે સંસાર, તારી માયા ! અને રાજકુમારી રાજીમતી નેમિકુમારના માર્ગે ચાલી નીકળવાનો સંકલ્પ કરીને શાંત બની ગઈ, સ્વસ્થ બની ગઈ. એનું દુઃખમાત્ર ચાલ્યું ગયું, એનો શોકમાત્ર શમી ગયો ! વિજોગણ રાજીમતીએ જોગણ બનીને સ્વામીનો પંથ અજવાળી મૂક્યો. - નેમિકુમાર કરુણાના વૈરાગ્યથી શોભી રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy