SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ Dરાગ અને વિરાગ પડ્યા. એમને થયું : જીભના પળવારના સ્વાદ માટે આટલાં નિર્દોષ પશુઓનો સંહાર ! સર્યું આવાં લગ્નથી ! જાણે દોડવા ઇચ્છનારને ઢાળ મળી ગયો. અંતરના વિરાગીને ાગે તમાચો લગાવીને જગાવી દીધો ! નેમિકુમારે એટલું જ કહ્યું : “ ભલા સારથિ, રથને થોભાવો ! " અને કુમાર પશુઓની દૃષ્ટ દૃષ્ટ મિલાવી રહ્યા. વરરાજાનો રથ થંભી ગયો. સૌ નીરખી રહ્યા ઃ રથ થંભ્યો, સાથે અશ્વો થંભી ગયા, ગજરાજો થંભી ગયા, સ્વજનો થંભી ગયા, મણીઓનાં ગીતો થંભી ગયાં, વાજિંત્રો થંભી ગયાં. સર્વત્ર સ્તબ્ધતા છવાઈ ગઈ. .. નેમિકુમારે ફરી સારથિને આજ્ઞા કરી : ભાઈ સારથિ, થ પાછો ફેરવો ! સર્યું આવાં લગ્નથી !” સૌ જોતાં રહ્યાં અને કોડભર્યા વરરાજાનો રથ લગ્ન મંડપમાં લીલા તોરણેથી પાછો ફરી ગયો ! ધવળમંગળને સ્થાને હાહાકાર પ્રવર્તી રહ્યો. સખીઓ સ્તબ્ધ બનીને જોઈ રહે છે ઃ આ શું ? વરરાજા પાછા વળી ગયા ? લીધાં લગ્ન અધૂરાં રહેશે ? રાજીમતી નેત્રો ખેંચી ખેંચીને જોઈ રહી છે ? શું સાચે જ નેમિકુમાર પાછા વળી ગયા ? એની આંખે અંધારાં આવ્યાં. એ મૂર્છિત થઈને ઢળી પડી. માતા ધારિણી ચોધાર આંસુએ રડી રહી છે. સખીઓ દીન વદને નીરખી રહી છે. સૌનાં મુખ ઉપર ન બનવાની વાત બની ગયાનો શોક છે. અણધાર્યા આઘાતે રાજીમતીની ચેતનાને હરી લીધી જાણે કલિનીની ઉપર આગ વરસી ગઈ. એ મૂર્છામાં કંઈ કંઈ બોલી જાય છે. પાછો ન : એ સખીને પૂછે છે વળ્યો ? જરા જો તો ખરી ! સખી શું જવાબ આપે. Jain Education International .. સખી, નાથનો રથ હજી "? એ જરૂર પાછો આવશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy