SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુંજય ૯િ૭ ઉદયને પોતાનો અશ્વ તીર્થાધિરાજ શુગંજય તરફ વાળ્યો. ઉષાના આગમન સાથે અંધકારના ઓળા ઓસરવા લાગે અને નભોમણિનાં દર્શન થતાં કમળવનમાં ઉલ્લાસ વ્યાપી જાય, એમ તીથધિરાજ શત્રુંજય તરફના એક એક પગલે મંત્રીશ્વર ઉદયનના હૃદયકમળનાં દ્વાર ઊઘડતાં જતાં હતાં. સંસાર અને સંગ્રામના બદલે આત્મા અને મોક્ષના નાદો એમના અંતરમાં ગાજવા લાગ્યા હતા. પાટણથી સંગ્રામ જીતવાનો સંકલ્પ લઈને નીકળેલ મંત્રીશ્વરના હૃદયમાં અધવચ્ચે જાગ્રત થયેલ પ્રભુદર્શનની આ અભિલાષા જાણે કોઈ વિલક્ષણ ભવિતવ્યતાને સૂચવતી હતી. થોડીક મજલો પૂરી થઈ અને મંત્રીશ્વર તીર્થાધિરાજના ચરણે આવી પહોચ્યા. તળેટીમાં ઊભા ઊભા ઉત્તુંગ તીર્થાધિરાજનાં દર્શન કરતાં મંત્રીશ્વરનું મસ્તક નમી ગયું, એમનું અંતર આહલાદમાં ડોલવા લાગ્યું. એમણે નીચા નમી તીર્થાધિરાજની પરમપાવન રજને મસ્તકે ચડાવી. એમનું હૃદય તીર્થાધિરાજના મહિમાનું ગાન કરવામાં મગ્ન બન્યું ! જય તીર્થાધિરાજ ! જય યુગાદિદેવ ! જય જિનેશ્વર ! સંસારદાવાનળથી સંતપ્ત જીવોને અખંડ આત્મશાન્તિ અપનાર તીર્થાધિરાજનો જય હો ! અનન્ત આત્માઓને મુક્તિના પવિત્ર પંથે વળાવનાર ગિરિરાજનો જય હો ! યુગપ્રવર્તક આદીશ્વર પ્રભુના ચરણથી પવિત્ર થયેલ શત્રુંજયની ધૂલિકાને ધન્ય હો ! અનેક પુણ્યાત્માઓનું સ્મરણ કરીને ગિરિરાજના મહિમા સાથે આત્માને એકરસ કરતા મંત્રીશ્વર ધીમે ધીમે પર્વત ઉપર ચડવા લાગ્યા. સંસારની વાસનાઓ અને દુઃખનાં બંધનો જાણે વિલીન થતાં હોય, આત્મા જાણે સ્વ-કલ્યાણ તરફ પ્રયાણ કરતો હોય, એમ એમનું અંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy