SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અભિષેક અંગપીડા કેવી રીતે સતાવી કે વિચલિત કરી શકે ? જ્ઞાની પ્રભુએ જોયું કે શૂલપાણિના એક એક કરે પોતાનું આત્મબળ વધતું જતું હતું; અને યક્ષના અંતરમાં જાગેલા પશુનું બળ ઓછું થતું જતું હતું. આ કંઈ જેવો તેવો લાભ હતો ? આત્મબળને વધારવા અને પાશવી બળને નાથવા માટેની તો આ બધી સાધના હતી ! ભગવાનનો આત્મા ભારે પ્રસન્નતા અનુભવી રહ્યો. રાત્રિના ત્રણેક પ્રહર સુધી શૂલપાણિની આ ભયલીલા ચાલતી રહી. પણ છેવટે જાણે કષ્ટ આપવાની એની પોતાની શક્તિ જ અશક્ત બની ગઈ ! પળવાર એ પોતાની આ અશક્તિને જ વિમાસી રહ્યો ઃ આજે ન બનાવાનું બન્યું હતું; ન અનુભવેલું જોયું હતું ઃ પામર લાગતો માનવી દિવ્ય ગણાતા દેવને પણ પાછો પાડી રહ્યો હતો ! : ૪ થોડી વાર પછી એ હજી પણ અડોલ ઊભેલા ભગવાનને નીરખી રહ્યો; એમનાં કરુણારસ ઝરતાં નેત્રો સાથે એ પોતાનાં ક્રોધ કરીને થાકેલાં નેત્રો મેળવી રહ્યો. પછી તો, જાણે કોઈ માગારુડીની મહામંત્રસાધનાએ ભયંકર વિષધરને વિષમુક્ત બનાવી દીધો હોય એમ, શૂલપાણિ ભગવાનનાં ચરણોમાં નમી પડ્યો ! એના જીવનમાં વ્યાપેલું ક્રોધ, વેર, દ્વેષ, ગર્વ અને ક્રૂરતાનું વિષમાત્ર નીતરી ગયું હતું. એનું અંતર આત્મજાગૃતિનો અપૂર્વ આનંદ અનુભવી રહ્યું. ભગવાને જોયું કે અવસર બરાબર પાકી ગયો છે; લોઢું ટિપાવાને માટે બરાબર તપી ચૂક્યું છે. "1 ભગવાને લાગણીભર્યા સ્વરે કહ્યું : “યક્ષદેવ, આ તે કેવું આશ્ચર્ય !” શૂલપાણિ પ્રભુવાણીના અમૃતનું પાન કરી રહ્યો. ભગવાને વાતનો મર્મ સમજાવતાં કહ્યું : “પૂર્વભવમાં તારો અવતાર પશુનો-બળદનો હતો. એ વખતે દેવોને ય દુર્લભ એવી કરુણાની તેં કેવી આરાધના કરી હતી ! પાંચસો ગાડાંના હજાર જેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy