SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૦ અભિષેક પ્રભુએ જોયું કે બહુલા દાસીએ વધેલું અન્ન કાઢી નાખ્યું હતું અને એ વાસણ સાફ કરતી હતી. પ્રભુએ એ અન્ન આરોગીને પોતાના આવા આકરા તપનું પારણું કર્યું અને દેહને દામું આપ્યું ! ધન્ય, રસ-કસના ત્યાગી અને સ્વાદના વિજયી પ્રભુ, ધન્ય ! ૧૨ ભક્તિ અને ભક્તિ પૈસો જતો રહ્યો અને જિનદત્ત શેઠને લોકોએ જીર્ણ શેઠ'ના નામે ઓળખવા માંડ્યા. અને બીજા એક અભિમાની ગૃહસ્થ પાસે તાજો પૈસો ભેગો થયો એટલે લોકોએ એમને ‘અભિનવ શેઠ નું બિરુદ આપ્યું. દુનિયા દોરંગી તે આનું નામ ! એકવાર ભગવાન વૈશાલીમાં ચોમાસુ રહ્યા. ભગવાનનાં દર્શન કરીને જીર્ણ શેઠ એમનો ભક્ત બની ગયો. એને થયું ? ક્યારેક ભગવાનને ભિક્ષા આપવાનો મને લાભ મળે તો કેવું સારું ! પણ ભગવાને તો ચાર માસના ઉપવાસ કરેલા, એટલે જીર્ણ શેઠની ભાવના તરત ન ફળી. એ ભક્તશ્રેષ્ઠી રોજ રોજ ભાવના કરતા રહ્યા. એમનું મન ભક્તિની પુષ્કરણીમાં નિરંતર સ્નાન કરી રહ્યું ! ત્યાં ભગવાનના ઉપવાસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. જીર્ણ શેઠના હર્ષનો પાર ન રહ્યો. એને તો એમ કે ક્યારે વખત પાકે અને પ્રભુ મારે આંગણે પધારે ! એ તો ભગવાનને ભિક્ષા માટે ભાવપૂર્વક વિનવી રહ્યા. પારણાને દિવસે પ્રભુ ભિક્ષાએ નીકળ્યા. એમને તો નિર્દોષ ભિક્ષા જ જોઈએ. પહેલું આવ્યું પેલા અભિમાની અભિનવ શ્રેષ્ઠીનું ઘર. પ્રભુને મન તો માન કે અપમાન સરખાં જ હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy