SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ ૦ ૩૧ એટલે ભગવાનને તો કષ્ટોના વલોણાથી કાયાનું જેમ વધારે મંથન થતું તેમ આત્મશુદ્ધિનો અમૃતકુંપો વધારે નજીક આવતો લાગતો. ભગવાનને મન તો દુઃખ એ સુખની ખાણ જ હતી. ક્રોધનાં કડવાં ફળ એક વાર ભગવાન વૈશાલીમાં સમોસર્યા. રાજમહેલના ત્યાગીને હવે રાજમહેલ કે હવેલીની કોઈ ખેવના ન હતી. વૈભવ-વિલાસ તો એમને મન બેડીઓ જેવા બની ગયા હતા અને સુખસગવડનો તો એમને કોઈ વિચાર જ આવતો ન હતો. કોઈને અગવડ ન થાય, કોઈને અપ્રીતિ ન થાય, મોહમાયાનું કોઈ બંધન આડે ન આવે એવી થોડીક જગા મળી રહે એટલે બસ. વૈશાલી તો કેવી ભાગ્યશાળી નગરી ! તેમાં ય ભગવાનનું તો એ વતન. એ ઇચ્છે તો એક કરતાં એકવીસ ઉતારા એમને મળી રહે. પણ ભેખ ધરીને ચાલી નીકળેલાને તો બધી ધરતી સરખી હતી : શું હવેલી કે શું ઝૂંપડું ! ભગવાને તો એક લુહારના ડેલામાં ઉતારો કર્યો. એ ડેલાનો માલિક લુહાર છ મહિનાથી માંદો હતો અને રોગથી હેરાન થઈને એ બીજે ચાલ્યો ગયો હતો. એ સાજો થઈને પોતાનાં સગાં-વહાલાં સાથે આજે જ પોતાની કોઢમાં પાછો આવ્યો હતો. આવતાવેંત એણે જોયું તો એક મૂડિયો પોતાના મકાનમાં ઊતરેલો ! એ તો ચિડાઈ ગયો ઃ માંડ માંડ મોતના મોંમાંથી બચીને, સાજો થઈને, આજે ઘેર પાછો આવ્યો, ત્યાં પહેલાં દર્શન આ મૂંડિયાનાં થયાં ! કેવાં મોટાં અપશુકન ! એનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy