SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અચ્છંદકને ભૂલીને ભગવાનની તરફ ભગવાનની વાહવાહ થવા લાગી. વળવા લાગ્યું. બધે હવે અચ્છેદક બહુ અકળાયો. એને તો આકડેથી મધ વેરાઈ જતું લાગ્યું. એણે ભગવાનને ભોંઠા અને ખોટા પાડવાનો પ્રયત્ન કર્યો, ભય બતાવ્યો, લાલચ આપવામાં ય મણા ન રાખી, પણ ભગવાન તો એકેથી પાછા ન પડ્યા. પછી તો ભગવાનના ચમત્કારની કંઈ કંઈ વાતો લોકજીભે રમવા લાગી. પણ ભગવાન તો આત્મસાધના કરવા નીકળેલા યોગી આત્મામાં પરમાત્માને પ્રગટાવવા એમણે રાજપાટ, ધનદોલત અને કુટુંબકબીલો તજેલાં. એમને તો અંતરની શુદ્ધિ સિવાય બીજું કશું જ ન ખપે. એ તો તરત ચેતી ગયા ઃ ચમત્કારનો માર્ગ તો સાચને ભૂલવાનો અને આત્માને ખોવાનો માર્ગ : એમાં તો આપણે ય ઠગાઈએ અને દુનિયા ય ઠગાય. ચપટી બોર સારુ હીરાની વીંટી આપી દેવા જેવો એ તો ખોટનો ધંધો ! પહેલાં આત્માને તારવો; પછી જ દુનિયાના ઉદ્ધારનો વિચાર કરવો ઃ કલ્યાણનો એજ સાચો માર્ગ. અને ભગવાને મનમાં ગાંઠ વાળી ઃ સર્યું આવા ચમત્કારથી ! અને લોકોને સાવધાન કરીને ભગવાન ત્યાંથી બીજે વિહરી ગયા. કંચન કે કીર્તિની કોઈ કામના એ યોગીને ત્યાં રોકી ન શકી. મેળવે. પદ્મપરાગ ૨૯ દુઃખ તો સુખની ખાણ ! અગ્નિમાં તપવાનું કષ્ટ સહે તો જ કુંદન સો ટચ શુદ્ધ થવાનું સુખ પ્રસૂતિની કારમી પીડામાંથી જ માતૃત્વનું દિવ્ય સુખ પ્રગટે છે. મરજીવાને જ મહેરામણ મોતીનાં દાન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy