SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૦ અભિષેક (૪) કરપાત્ર ( હાથમાં) જ ભોજન કરવું. (૫) ગૃહસ્થની ખુશામત કરવી નહીં. આ પ્રતિજ્ઞાઓ તો વડલાના બીજ જેવી હતી. આગળ જતાં એમાંથી ત્યાગ અને સંયમનો ઘેઘૂર વડલો વિકસી ઊઠ્યો. કષ્ટસહનનો પ્રતાપ શૂલપાણિ યક્ષનું નામ તો અસ્થિકગ્રામમાં ભયનું પ્રતીક બની ગયું હતું ઃ એના નામથી તો ભલભલાના હાંજા ગગડી જતાં. મહાવીર અસ્થિકગ્રામમાં ગયા. અને એમણે લોકો પાસેથી બધી વાત જાણી. ટૂંકમાં વાત આમ હતી ? જૂના કાળમાં કોઈ એક વણિક એ પ્રદેશમાંથી પસાર થતો હતો. એમાં એનો એક બળદ ગળિયો બની ગયો. એનાથી રોકાઈ શકાય એમ ન હતું, એટલે એણે એની સારવાર માટે પૈસા આપીને એ બળદને ગામ લોકોને સોંપ્યો, અને એની સારસંભાળ લેવા ભલામણ કરી. ' પણ લોભિયા ગામલોકોએ એ પૈસા તો લઈ લીધા, પણ બિચારા બળદની કશી ખબર ન લીધી. બળદ બાપડો છેવટે ભૂખ્યો-તરસ્યો રિબાઈને બોકાણાં પાડી પાડીને મરી ગયો, અને મરીને શૂલપાણિ નામે વ્યંતર થયો. એણે તો ગામલોકો પાસેથી જાણે વ્યાજ સાથે વેર વસૂલ કરવા માંડ્યું જોતજોતામાં ગામલોકોનો સોથ બોલાવી દીધો ! અને ત્યાં હાડકાં – અસ્થિ – ના ગંજના ગંજ ખડકાઈ ગયા. ત્યારથી એ ગામ વર્ધમાનગ્રામ 'ના બદલે “અસ્થિકગામ ' નામે ઓળખાવા લાગ્યું. છેવટે ગામલોકોએ એ વ્યંતરને રીઝવ્યો અને એનું મંદિર ચણાવીને એમાં એની સ્થાપના કરી. રોજ એની પૂજા થવા લાગી. લોકો તો એમ પણ કહેતા કે એ મંદિરમાં કોઈ રાત રહી શકતું નથી, કોઈ રહેવાની જીદ કરે તો એ હેરાન હેરાન થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy