SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ ૦ ૨૫ પોતાનું કહેવાય એવું સર્વ દાનમાં આપીને એ વનવગડાની વાટે ચાલી નીકળ્યા; ન કોઈ સાથી છે, ન કોઈ સંગી. ત્યાગની ખુમારી એ જ એકમાત્ર એમની સાથી છે. એ ખુમારીનો રંગ દિવસે દિવસે વધુ ને વધુ ઘૂંટાતો જાય છે. ગ્રીષ્મઋતુ પૂરી થવા આવી છે. વર્ષાઋતુનાં એંધાણ કળાવા માંડ્યાં છે. મોરાક સન્નિવેશના તાપસ-આશ્રમના કુલપતિની વિનંતીને સંભારી, મહાવીર એ તાપસના આશ્રમમાં આવીને ચતુમસ રહ્યા. કુલપતિએ રહેવા માટે એક ઘાસની ઝૂંપડી મહાવીરને આપી. મહાવીર એમાં રહેવા લાગ્યા. પણ અગ્નિ જેમ ઘાસને ન મૂકે એમ ગાયો પણ ઘાસની દુશ્મન : એને દીઠું ન મૂકે. એ તો વારેવારે ઝૂંપડીમાંથી ઘાસનાં તરણાં ખેંચી કાઢવા લાગી. પણ ધ્યાનમગ્ન મહાવીરને તો એની કશી ખેવના જ નથી. મહેલનો ત્યાગ કરનારને વળી ઝૂંપડીની ચિંતા કેવી ? પણ મહાવીરની આ બેદરકારીથી બીજા તાપસોને ચીડ ચડી. એ તો કુલપતિને ફરિયાદ કરવા લાગ્યા કે આ તે કેવી બેદરકારી કહેવાય ? પોતાના જ સ્થાનને પોતે જ ન સાચવવું ! કુલપતિએ મહાવીરને કોમળ શબ્દોમાં ઝૂંપડીની સંભાળ રાખવા સૂચના કરી. મહાવીરને પણ વાત તો સાચી લાગી, પણ એ પોતાની સાધનામાં એવા મગ્ન રહેતા કે એમને એ બધું પળોજણ જેવું લાગ્યું. અને ત્યાગની ખુમારીને સાચવવા એમણે, ચોમાસાનો અધ માસ વિત્યા છતાં, એ સ્થાનનો રાજીખુશીથી ત્યાગ કર્યો અને સાથેસાથે પાંચ પ્રતિજ્ઞા કરી કે – (૧) જ્યાં અપ્રીતિ થવાનો સંભવ હોય એવા સ્થાનમાં કદી ન રહેવું. (૨) જ્યાં રહેવું ત્યાં સદા ધ્યાનમાં રહેવું, અને એને અનુકૂળ જ જગ્યા પસંદ કરવી. (૩) મોટે ભાગે મૌન-અવસ્થામાં જ રહેવું. Jain Education International national For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy