SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ૦ અભિષેક ન જોયો. સત્તાની આગળ શાણપણે નમતું જોખવામાં જ સાર માન્યો. બલહીન ચૈત્યવાસીઓ તે દિવસે વધુ બલહીન સાબિત થયા. અને બન્ને સુવિહિત શ્રમણોના પ્રયાસો સિદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા. પુરોહિત સોમેશ્વરદેવની દૃઢતા સફળ થઈ. પર આવા ઉરમ પણ એનો અ પ મહારાજઆઇ પણ વાત આટલેથી પતે એવી ન હતી. મુખ્ય કામ તો હજી બાકી જ હતું. સુવિહિત સાધુઓનો પાટણ તરફનો વિહાર અને પાટણમાં નિવાસ મોકળો બને તો જ ધારેલું કાર્ય કંઈક પાર પાડયું લેખાય, નહીં તો આ વ્યક્તિગત સિદ્ધિ તો શું કામ કરી શકે ? બન્ને આચાર્યોની આ મનોભાવના સોમેશ્વરદેવ બરાબર સમજતા હતા. એટલે એમણે દુર્લભરાજને વિજ્ઞપ્તિ કરતાં કહ્યું : “મહારાજ, આપે સુવિહિત શ્રમણોને રહેવાની અનુમતિ તો આપી, પણ હવે કૃપા કરી એમને માટે નિવાસભૂમિ પણ આપ જ આપો સ્વતંત્ર નિવાસભૂમિ વગર આવા ઉત્તમ મુનિવરો નિશ્ચિત અને નિરાકુલપણે ક્યાં વાસ કરી શકે ?” દુર્લભરાજ વાતનું વાજબીપણું તરત જ સમજી ગયા અને ચૈત્યવાસીઓની હક્ક અને અધિકારની વાતોની પરવા કર્યા સિવાય એમણે ત્યાં આવી પહોંચેલા શૈવ આચાર્ય જ્ઞાનદેવને તરત જ વિજ્ઞપ્તિ કરી : “પ્રભો મારે આપને એક વિજ્ઞપ્તિ કરવાની છે : બે સુવિહિત શ્રમણો આપણા નગરમાં પધાર્યા છે, એમને ઊતરવાને માટે આપ જ ઉપાશ્રય આપો !” સૌ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા : જૈનાચાર્યોના નિવાસ માટે શૈવાચાર્યને વિજ્ઞપ્તિ ? પણ શૈવાચાર્ય ભારે વિચક્ષણ અને ઉદાર પુરુષ હતા. એમણે તરત જ કહ્યું “રાજન્. નિષ્પાપી ગુણીજનોની આપ અવશ્ય સેવા કરો. બધા ધર્મોના ઉપદેશનો તેમ જ અમારા ઉપદેશનો પણ એ જ સાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy