SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૦ અભિષેક રાજા અશ્વસેન વધુ એકાગ્ર બની સાંભળી રહ્યા. દૂતે પોતાની વાત આગળ ચલાવી : “રાજનું ! અમારા રાજવી પ્રસેનજિત તો શૂરાતનના અવતાર છે. રણમાં શત્રુને પીઠ બતાવવી, કે જીવ બચાવવા રણભૂમિમાંથી નાસી છૂટવું, એનાં કરતાં તો રણમાં સદાને માટે સાથરો કરવો, એને જ એ વધારે ચાહનારા છે. અપકીર્તિભય જીવન કરતાં માનભર્યું મોત એમને વધારે પસંદ છે. પણ મહારાજ, આજે તો સ્થિતિ એવી ઊભી થઈ છે કે અનેક માનવીઓની આહુતિ આપવા છતાં, રુધિરની સરિતા ફેલાવવા છતાં, અને વૈરના હુતાશનને ખૂબ ખૂબ પ્રગટાવવા છતાં, અમારી નગરીને – પ્રાણથી પ્યારી અમારી જન્મભૂમિને – ઉગારી શકવાની કોઈ આશા દેખાતી નથી. ” દૂતનો સ્વર લાગણીભીનો બની ગયો. એ પોતાના ચિત્તને સ્વસ્થ કરવા પળવાર થોભ્યો. એ લાગણી જાણે આખી રાજસભાને સ્પર્શી ગઈ. થોડીવારે દૂતે પોતાનું કથન આગળ ચલાવતાં કહ્યું : “પ્રભુ, જ્યાં એકની સામે અનેક હોય, અને કીડીને માથે કટક લઈ જવા જેવી વિષમ સ્થિતિ ઊભી થઈ હોય, ત્યાં શૂરાતનના અવતાર સમો માનવી પણ શું કરી શકે ? અમારા રાજવી પ્રસેનજિતને મન મોત તો બાળકની ક્રીડા સમાન છે, અને પોતાના સૈન્ય સાથે એ દુશ્મનોના સામના માટે તૈયાર પણ છે, છતાં આજે બીજાની સહાય વગર જન્મભૂમિનું અને પ્રજાનું રક્ષણ શક્ય નથી. મહારાજ. આ માટે અમારે આપની સહાય જોઈએ. આપની સહાય હશે તો આ અન્યાયનો અમે સત્વર પ્રતિકાર કરી શકીશું. પ્રભુ, કૃપા કરી અમારી માગણીનો આપ સ્વીકાર કરશો, એવી અમારા રાજવીની આપને વિજ્ઞપ્તિ છે.” દૂત પુરુષોત્તમે પોતાની વાત પૂરી કરી, અને એ ઉત્સુકતાપૂર્વક જવાબની રાહ જોઈ રહ્યો. રાજા અશ્વસેન તો ભારે વિવેકવંત અને ચકોર પુરુષ હતા. એમણે વિચાર્યું : રાજકાજ તો હમેશાં ફલેશકંકાસનું મૂળ ગણાય. એમાં તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy