SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાર્ય ૭૫ જૈન સમાજને મુક્તિ અપાવવા માટે, ધાર્મિક તેમ જ દરેક કક્ષાના વ્યાવહારિક શિક્ષણને માટે અને સમાજના સર્વાગીણ ઉત્કર્ષ માટે આચાર્યશ્રીએ જે અવિરત ચિંતા અને પ્રવૃત્તિ કરી હતી તેનું મૂલ્ય થઈ શકે એમ નથી. આવા ઉપકારક ગુરુને એગ તો ભાગ્ય પૂરું જાગતું હોય તે જ મળે. આવી કાર્યશીલ લાગણીને લીધે જ ગુરુ વલ્લભ પંજાબના આબાલગોપાલ જનસમૂહના અને સામાન્ય જનતાના અંતરમાં સદાને માટે વસી ગયા છે. આજે પણ ગુરુ વલ્લભનું નામ આવે છે અને પંજાબનાં ભાઈઓ-બહેનનાં અંતર ગદ્ગદ બની જાય છે. વિ. સં. ૧૯૬૩ની સાલમાં પંજાબના શ્રીસંઘે પિતાના હત્યના રખેવાળ આ ધમનાયકને પંજાબ કેસરી 'નું બિરુદ આપાને પિતાની ભક્તિ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને ગુરૂવયે પણ પંજાબની ભક્તિની કદર કરી હતી. બાકી ત, આચાર્ય વિજ્યવલભસૂરિજી પંજાબના સંધને મન શું હતા અને શું ન હતા એને હિસાબ તે કઈ ભક્તહૃદય સંત જ મેળવી શકે. - મુનિ વલ્લભવિજયજીની શક્તિ, નિર્મળ સંયમયાત્રા, વિદ્વત્તા, શાસનસેવાની તમન્ના અને લેકે પકારની ભાવનાને પારખીને પંજાબના શ્રીસંઘે તો વિ. સં. ૧૯૫૭માં, ૩૦ વર્ષની ભરયુવાન વયે, તેઓને આચાર્ય પદવી આપવાની આગ્રહભરી ઈચ્છા પ્રગટ કરી હતી. પણ યુવાન મુનિનું મન આવી મોટાઈને ભાર સ્વીકારવા તૈયાર ન હતું. એમને તો. શાસનસેવા અને જનસેવાનાં કાર્યોની જ દરકાર હતી. એમાં પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજે, સમુદાયની એકતાને સાચવી રાખવા માટે, અત્યારે એ વિચારને મુલતવી રાખવાની શાણી સલાહ આપી. મુનિ વલ્લભવિજયજીને તે “ભાવતું હતું અને વૈદ્ય કહ્યું ” જેવું થયું. પંજાબ સંઘે પિતાને આગ્રહ જતો કર્યો. મુનિ વલભવિજ્યજીને તે કોઈ પણ પદવીની ઝંખના સતાવતી ન હતી. એમને મન તે સંધસેવા અને જનસેવા જ સાચી પદવી હતી. એટલે એમ ને એમ ૨૪ વર્ષ વીતી ગયાં. વિ. સં. ૧૯૮૧ની સાલમાં માગસર સુદિ પાંચમના દિવસે, લાહોરના જિનમંદિરની પ્રતિષ્ઠાને મહેત્સવ પ્રસંગે, ૫૪ વર્ષની પરિપકવ વયે, લાહોરમાં, ગામ-પરગામના વિશાળ સંઘની હાજરીમાં, મુનિ વલ્લભવિજયજીને આચાર્યપદ અપણું કરવામાં આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy