SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સમયદશી આચાર્ય પ્રત્યેની ભક્તિ અને જનસેવાની ભાવનાથી પ્રદીપ્ત હોય એને આંખનાં તેજની અછત શું અવરોધ કરી શકે ? અને પાકિસ્તાન થયા પછી કોમી હુતાશનના કેન્દ્ર સમા ગુજરાનવાલામાં તેઓએ જે સ્વસ્થતા અને નીડરતા દાખવી એ તો એક રોમાંચકારી દાસ્તાન જ બની ગઈ. એ પ્રસંગની કથા આગળ આપવામાં આવશે. આ બધે પ્રતાપ આચાર્યશ્રીની સમતાભરી સાધુતાને. છા અંગસૂત્ર નાયાધમ કહાઓના ૧૧મા દાવવ અધ્યયનમાં બમણુજીવનની સાધનામાં સમભાવ–સમતાની અનિવાર્યતા જણાવતાં કહેવામાં આવ્યું છે કે – જે શ્રમણો અને શ્રમણીઓ ગમે તેના સહવાસમાં આવતાં સમભાવે જ વતે છે, કદી ગુસ્સે થતાં નથી કે આકૃતિમાં, ભાષામાં કે વિચારમાં ક્રોધને અંશ પણ આવવા દેતાં નથી, તેવાં ક્ષમાશીલ શ્રમણશમણુઓને સર્વાશે આરાધક કહ્યાં છે. હે જંબુ ! જીવોની આરાધતાને પાયે તેમની સહનશીલતા ઉપર છે અને વિરાધકતાનું મૂળ તેમને ક્રોધી સ્વભાવમાં છે.” આચાર્યશ્રીનું જીવન સમતા અને ક્ષમાશીલતાના એક ઉત્તમ નમૂના રૂપ હતું. તેઓ સમભાવી ક્ષમાશ્રમણ જ હતા. ૧૧ સમયજ્ઞતા એક જ વૈદ્ય એક દદીને પિષ્ટિક ખોરાક લેવાની અને બીજા દર્દીને લાંઘણ કરવાની સલાહ આપે છે, એમાં કશું જ અજુગતું નથી, પણ એમ કરવું જરૂરી છે. પૌષ્ટિક ખોરાક લેવાની અને ભૂખ્યા રહેવાની એમ એકબીજાથી વિરોધી દેખાતી બને સલાહની પાછળ મુખ્ય ધ્યેય છે દર્દીનું ભલું કરવાનું. એક જ વ્યક્તિ શિયાળામાં જાડાં-ગરમ વસ્ત્રો પહેરે છે, અને ઉનાળામાં મલમલનાં ઝીણું કપડાં પહેરે છે, એમાં આપણને કશી નવાઈ નથી લાગતી. મુખ્ય કામ શરીરને રાહત–રક્ષણ આપવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy