SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાય ૮૭ એમ કહી શકાય કે વિદ્યાલય શતળ કમળની જેમ સતત વિકસતું રહ્યું એમાં આચાર્ય શ્રીનાં આશીર્વાદ અને શુભેચ્છાને ઘણે મેટા ફાળા છે. સાચે જ, વિદ્યાલય આચાર્ય મહારાજની સમાજઉત્કર્ષ ની ઝંખના, વિદ્યાવિસ્તારની તમન્ના અને સેવાપરાયણુ સાધુતાની અમર કીતિ - ગાથા બની રહેરશે. વિ. સ. ૧૯૮૫ ની સાલનું મુંબઈનું ચામાસુ` આચાર્ય મહારાજની સમતા અને સાધુતાની કસાટીને નાના સરખા પ્રસંગ બની રહ્યું. જૈન સંઘમાં જે કંઈ પક્ષાપક્ષી ચાલ્યા કરે છે એનાથી એની ગુણગ્રાહક દૃષ્ટિ અવરાઈ ગઈ છે અને રાગષ્ટિ વધી ગઈ છે. નાગણી પેાતાનાં જ સ ંતાનેાનું ભક્ષણ કરી જાય એમ જૈન સંઘમાં ઘર કરી ગયેલી રાગદષ્ટએ જૈન સંધનાં તેજ, હીર અને બળનું ગ્રસન કરી દીધું છે; અને, ‘કમજોરને ગુસ્સા બહુ ’ એ નીતિવાકય મુજબ, અંદરથી કમજોર બની ગયેલા જૈન સંઘને અંદરઅંદરના કલેશક કાસ અને ઝધડાઓમાં આરી દીધા છે. આને લીધે સંઘમાં ઈર્ષા-અદેખાઈ, રાગ-દ્વેષ, નિ દા-કૂથલી અને મારા-તારાપણાના અનેક દુ! પ્રવેશી ગયા છે; અને પેાતાના ન હેાય એ ભલે વચેાવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ સાધુમુનિરાજ હાય તાપણુ એમના વિરાધ કે અવર્ણવાદમાં આવા દુર્ગુણાના ભાગ બનેલા માનવીએ જરાય પાછી પાની કરતા નથી. આવે વખતે એ માનવીએ પાયાની એ વાત ભૂલી જાય છે કે રાગદ્શાથી પ્રેરિત થઈને વ્યક્તિગત નિંદામાં પડીને તેઓ અમુક વ્યક્તિની નહી પણ ખુદ ધર્મની અને ધર્મમાર્ગની જ નિંદા કરીને ધાર્મિકતાના પાયામાં કુડારાઘાત કરી રહ્યા છે. ' આચાર્ય મહારાજના સમાજના ભલા માટેના તેમ જ શાસનની સાચી પ્રભાવના માટેના પ્રગતિશીલ વિચારો જૂનું એટલુ સાનુ અને નવું તેટલું પિત્તળ ' માનવાના જૂનવાણી વિચારા ધરાવતા શ્રમસમુદાયને પસંદ પડતા નહીં. એટલે તેઓ આચાર્ય શ્રીના કે એવા જ અન્ય વિચારકાના વિચારેને વિરોધ કરવામાં, એમના વિચારાના બહાને, એમના વ્યક્તિત્વની સામે વિરાધના વટાળ ખડેા કરી દેતા. અને છેવટે એ વિચારા તરફના વિરાધ તા બાજુએ રહી જતા અને વ્યકિત વ્યકિત વચ્ચે વેર-વિરોધનુ વાતાવરણ જાગી જતું. મુંબઈના આ ચર્તુમાસમાં શ્રી વિજયવલ્લભસૂરીજીની સામે ઠીક ઠીક વિરાધ દાખવવામાં આવ્યા; અણુછાજતાં હેડખીલા પણ પ્રગટ કરવામાં આવ્યાં. પણુ આચાર્ય મહારાજ સ્વયં શાંત રહ્યા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy