SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી (૨) કર્મયોગ અને ધર્મયોગના મૂક સાધક શ્રેષ્ઠિરત્ન કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી ૪૦૧ સો વર્ષ જેટલા લાંબા સમય પછી પણ પડેલો દુષ્કાળ જેમ વસમો લાગે છે, એવો જ અસહાયતાનો અનુભવ શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીના ૯૧ વર્ષ જેટલી જૈફ ઉંમરે પણ થયેલા સ્વર્ગવાસથી, એમની કાર્યદક્ષતા, સેવાપરાયણતા અને કર્તવ્યનિષ્ઠાનો લાભ મેળવનાર વ્યક્તિઓ અને વિશેષે કરીને સંસ્થાઓને થયા વગર રહેવાનો નથી. અને એમની ચિરવિદાયથી ખાલી પડેલ સેવાના કાંટાળા સિંહાસનની જવાબદારી ઉલ્લાસ અને ધર્મબુદ્ધિથી સંભાળી શકે એવી સેવાવ્રતી વ્યક્તિ આપણને ક્યારે મળશે એ કહેવું અતિ મુશ્કેલ લાગે એવો મોટો શૂન્યાવકાશ હાલ દેખાય છે. આ શૂન્યાવકાશ જ જનસમૂહને ધર્મનિષ્ઠા અને સેવાભાવ કેળવવાની પ્રેરણા આપતો રહેશે એમાં શક નથી; એવું નિર્મળ જીવન જીવી જાણ્યું હતું આપણા આ શ્રેષ્ઠિરને. શેઠશ્રી કેશુભાઈના, સેવાભાવનાથી સુરભિત વ્યાપક જાહેરજીવનને બહુ જ ટૂંકમાં મૂલવવું હોય તો એટલું જ કહેવાની જરૂર છે કે તેઓ આશા-અપેક્ષાથી સર્વથા મુક્ત એવા અનાસક્ત કર્મયોગના તથા આંતરશુદ્ધિને એટલે કે આત્માની વિમળતાને વધારે અને કર્મો-કષાયોના મળને ઘટાડે એવા ધર્મયોગના જાગૃત સાધક હતા. પણ જ્યારે આવા કર્મયોગ અને ધર્મયોગ એ બંનેની સમાનભાવે આરાધના કરવાનો નિર્ણય ક૨વામાં આવે છે, ત્યારે એ આરાધનાને સફળ બનાવવા માટે પોતાના અવગુણોને દૂર કરવા માટે અને અનેક સદ્ગુણોને કેળવવા માટે સાધકે અવિરત અને જાગૃત પ્રયત્નો કરતાં રહેવું અનિવાર્ય બની જાય છે. શેઠશ્રી કેશુભાઈના જીવનમાં પણ ક્રમે-ક્રમે અનેક ગુણોનો, સાચી ધાર્મિકતાનો તથા સારમાણસાઈનો વધુ ને વધુ વિકાસ થતો રહ્યો. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સમા અલગારી-અવધૂત ધર્મગુરુ ઉપર અનન્ય શ્રદ્ધા-ભક્તિ ધરાવતા શ્રાદ્રરત્ન શ્રી કેશુભાઈને નાનપણથી ધર્મસંસ્કારોનો વારસો શેઠશ્રી લલ્લુભાઈ રાયજીના પુત્ર તરીકે સહજપણે જ મળ્યો હતો. (તેઓનો જન્મ તા. ૩૦-૧-૧૮૮૮ના રોજ થયો હતો.) સમય જતાં આ વારસાને તેઓએ પોતાની આગવી રીતે ખૂબ વિકસાવ્યો હતો, એમ તેઓનું જીવન અને કાર્ય જોતાં, સ્પષ્ટ દેખાય છે. તેઓએ પોતાની વિકાસની આ પ્રક્રિયા, કોઈ પણ જાતના આડંબર વગર, સાવ ચૂપચાપ, સાધી હતી; એમના અતિનિકટના પરિચયમાં આવનારાઓમાંથી પણ કોઈકને જ આ વાતનો ખ્યાલ આવી શકતો. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy