SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પં. રવિશંકર ૩૭૯ દસ, બાર અને ચૌદ-ચૌદ કલાક રિયાઝ (અભ્યાસ) કરવો પડતો; આ બાબતમાં ન તો લેશ પણ છૂટ લઈ શકાતી કે ન તો જરા ય આળસ કરી શકાતી. એક વાર ગુરુએ રવિશંકરને કહેલું : “ભારતીય સંસ્કૃતિ કહે છે કે આ વય છે બ્રહ્મચર્ય માટે, ત્યાગ માટે, સન્નિષ્ઠા માટે, પરિશીલન માટે; એટલું ધ્યાનમાં લઈશ તો બસ છે. એ ધ્યેયથી ચલિત ન થઈશ.” આ થોડાક શબ્દો પણ, જીવનમાં સદાચારનું કેટલું ઊંચું મૂલ્ય છે એની ઊંડી પ્રતીતિ કરાવવા પૂરતા છે. આવા કઠોર અને મહર્ષિસમા સિદ્ધહસ્ત ગુરુના આશ્રયમાં કેટલાંક વર્ષ સુધી અગ્નિપરીક્ષા જેવી અતિ આકરી સાધના કરીને જ્યારે પંડિત રવિશંકરે પોતાનો કર્મયોગ શરૂ કર્યો, ત્યારે સિતારવાદનમાં વિશ્વભરમાં વિજય અને યશકીર્તિ અપાવે એવાં સત્ત્વ અને તત્ત્વનું એમને વરદાન મળી ચૂક્યું હતું. પછી તો આપણા દેશમાં તથા અનેક વિદેશોમાં એમણે સિતારવાદનમાં જે સિદ્ધહસ્તતા દાખવી હતી, તે સાચા અર્થમાં વિજયી નીવડી હતી, અને એમને સારા પ્રમાણમાં સંપત્તિ અને અપાર કીર્તિ અપાવવાનું નિમિત્ત પણ બની હતી. આ રીતે પંડિત રવિશંકરની સાધના અને સિદ્ધિની કથા એક પ્રેરક અમર કહાની બની રહે એવી છે. (આ બધી માહિતી સ્વ. શ્રી મૂળજીભાઈ પી. શાહ લિખિત “ભારતનાં સંગીતરત્નો' એ પુસ્તકના બીજા ભાગમાંથી સાભાર લીધી છે.) આ બધી તો ખાસ જાણવા જેવી છતાં આનુષંગિક વાત થઈ, પણ અહીં મુખ્ય વાત કરવી છે આવા વિશ્વમાન્ય સંગીતકારની શાંતિની તીવ્ર ઝંખનાની. પંડિત રવિશંકર અત્યારે ઓગણસાઠ વર્ષના થયા છે. આટઆટલી સિદ્ધિ, કિર્તિ અને સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી પણ એમનું ચિત્ત હવે સંતોષ અને હર્ષનો અનુભવ કરવાને બદલે કેટલો અસંતોષ અને આ ઉમરે કેટલી બેચેની અનુભવે છે, અને શેષજીવન શાંતિપૂર્વક આત્મખોજમાં વીતે એ માટે કેટલું તલસી રહ્યું છે, એ વાત એમણે પોતે જ લખી છે, જે સૌ કોઈએ જાણવા-વિચારવા જેવી છે. છેલ્લા કેટલાક મહિનાથી, કલકત્તાથી પ્રગટ થતા “દેશ” નામના અઠવાડિકમાં પંડિત રવિશંકરે પોતાનાં સંસ્મરણો લખ્યાં છે. આ સંસ્મરણોનો એક ભાગ “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના તા. ૧૩-૧૧-૧૯૭૮ના અંકમાં છપાયો છે. એમાં પોતાના પલટાયેલા મનોભાવને વ્યક્ત કરતાં તેઓ કહે છે : હું એક શિક્ષિત-સંસ્કારી વ્યક્તિ તરીકે, કંટાળો ઉપજાવનારી એક ને એક જ પ્રકારની (એકધારી) જિંદગીથી થાકી ગયો છું અને નિવૃત્ત થઈને બનારસમાં સ્થિર થવા ઇચ્છું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy