SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા ભગવાનદીનજી/શ્રી મગનબાબા (૮) સ્વનામધન્ય મહાત્મા ભગવાનદીનજી દુનિયાની સેવા કરીને જીવનને જીવી જાણનાર અને જનતાના હૃદયમાં અમર બની જનાર વ્યક્તિઓ બહુ વિરલ હોય છે; મહાત્મા ભગવાનદીનજી આવી જ એક વિરલ વ્યક્તિ હતા. તેઓ ગૃહસ્થવેશે પણ એક સંતપુરુષ જ હતા. આવા સ્વનામધન્ય પુરુષ તા. ૪-૧૧-૧૯૬૨ના રોજ નાગપુરમાં ૮૦ વર્ષની પાકટ વયે વિદેહ થતાં આપણા દેશને અને ખાસ કરીને જેઓ એમના થોડા પણ સંપર્કમાં આવ્યા હશે એ સૌને એક આપ્ત-પુરુષની ખોટ પડી; એવું ભવ્ય, નિર્મળ, પરગજુ એમનું જીવન હતું. અને તેથી જ એમને જનતાએ ‘મહાત્મા’નું બહુમાનભર્યું બિરુદ આપ્યું હતું. ૩૦૭ મૂળે તેઓ દિગંબર હતા; પણ સંપ્રદાયવાદ એમને સ્પર્શી નહોતો શક્યો. તેઓ સાચા અર્થમાં રાષ્ટ્રવાદી હતા. ૨૬ વર્ષ જેવી ભરયુવાન વયે પોતાના ઘરપત્ની-પરિવારનો ત્યાગ કરીને દેશસેવાને માટે ચાલી નીકળ્યા હતા. એ નીકળ્યા એ નીકળ્યા, પછી પીછેકદમ કરે એ બીજા ! એવા તેઓ અટંકી જીવનવીર હતા. તેઓની દૃષ્ટિ ઉદ્દામ હતી; જુનવાણીપણાના તેઓ કટ્ટર વિરોધી હતા. પોતાના નિર્ણયમાં તેઓ ગમે તેવી મુસીબતો સામે પણ અડગ રહેતા હતા. પ્રત્યેક માનવીને એની પોતાની રીતે વિકાસ કરવાની તક મળવી જોઈએ એ એમનો સિદ્ધાંત હતો; અને એ માટે તેઓ જીવનભર અણનમ રહીને ઝઝૂમ્યા હતા. વિદ્યાવ્યાસંગ અને ગ્રંથસર્જન એ એમનો બીજો પ્રિય વિષય હતો. એમની લેખનશૈલી આગવી હતી; એમણે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું. (તા. ૧-૧૨-૧૯૬૨) (૯) ભક્તકવિ શ્રી શિવજી દેવશી મઢડાવાળા (મગનબાબા) ‘ભક્તકવિ’, ‘મગનબાબા’ અને ‘મઢડાનિવાસી' તરીકે જાણીતા શ્રીયુત શિવજીભાઈ દેવશીભાઈ શાહનો તા. ૯-૧-૧૯૭૧ના રોજ, ૯૨ વર્ષની પરિપક્વ વયે, ભાવનગરમાં સ્વર્ગવાસ થતાં એક તેજસ્વી, ખુમારીદાર અને મનમસ્તવ્યક્તિ ચિરવિશ્રામની સાચી અધિકારી બનીને આપણાથી સદાને માટે વિદાય થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy