SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયસિદ્ધિસૂરિજી ૧૯૧ આવ્યા હતા. એક મહિના સુધી આ ઉત્સવ નિમિત્તે જમણવારો થતા રહ્યા, અને તે સમયે એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. વિ. સં. ૧૯૭૫ની સાલમાં વસંતપંચમીના દિવસે મહેસાણામાં એમને આચાર્યપદવી આપવામાં આવી હતી. એમનો કંઠ ખૂબ મધુર; ભલભલાને મોહી લે. એમનું વ્યાખ્યાન પણ એવું જ. જ્ઞાનોપાસના તો જાણે એમના જીવનનું અંગ જ બની હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ સતત જ્ઞાનસાધના બાહ્ય અને આત્યંતર તપનો એક જ જીવનમાં અતિવિ૨લ સુમેળ! પ્રાચીન ધર્મ-પુસ્તકો લખાવવાં એ એમની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ. ગામ-પરગામના અનેક લહિયાઓ પાસે પુસ્તકો લખાવે, એકધારા, પીઠફલકના આધાર વગર, કલાકો સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતોના આધારે એનું સંશોધન કરે. એમાં કલાકો વીતી જાય તો ય એ ન થાકે. પ્રતો લખવા-સુધારવાનાં સાધનો કલમ, શાહી, હડતાલ (શાહી છેકવાનું ‘હરતાલ’ દ્રવ્ય) વગેરે એમની પાસે પડ્યાં જ હોય. આ માટે એક ખાસ ઊંચી ઘોડી કરાવેલી, તે આજે પણ બાપજી મહારાજની જ્ઞાનસેવાની સાખ પૂરે છે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૭૦ વર્ષની ઉંમર સુધી – આંખોએ કામ આપ્યું ત્યાં સુધી તેઓ અવિરતપણે કરતા રહ્યા. - - આ જ રીતે એમણે જપ, ધ્યાન અને યોગનો (હઠયોગનો) પણ અભ્યાસ કરેલો. કદાચ એમ કહી શકાય કે એમનું સ્વાસ્થ્ય આટલું સારું હતું એમાં હઠયોગનો પણ કંઈક હિસ્સો હશે. જ્યારે શાસ્ત્રસંશોધનનું કામ થઈ શકે એમ ન હોય ત્યારે તેઓ પોતાના મનને જપ કે ધ્યાનના માર્ગે વાળી લેતા. વળી ઉગ્ર અને દીર્ઘ તપસ્યાને માટે તો બાપજીનું જીવન એક આદર્શસમું થઈ ગયું હતું. ૧૯૫૭ની સાલથી તેઓ હમેશાં એકાંતરે ઉપવાસનું ચોમાસી તપ કરતા રહ્યા છે, અને બ્યોંતેર વર્ષની ઉંમરથી તે છેક અંત સમય સુધી (૩૩ વર્ષ લગી) એમણે એકાંતરે ઉપવાસનું વાર્ષિક તપ સતત ચાલુ રાખ્યું હતું. આમાં ક્યારેક બે કે ત્રણ ઉપવાસ પણ કરવા પડતા અને ક્યારેક ૧૦૫ ડિગ્રી જેટલો તાવ આવી જતો તો પણ એ તપમાં ભંગ ન થતો ! એમનું આયંબિલ પણ અસ્વાદવ્રતનો નમૂનો. મૂળે તો આંબેલની વસ્તુઓ જ સ્વાદ વગરની અને લૂખીસૂકી; બાપજી એ બધીને ભેગી કરીને એમાં પાણી ઉમેરીને આરોગી જતા ! આટલી ઉગ્ર અને દીર્ઘ તપસ્યા છતાં તેઓ કદી ક્રોધને વશ નહોતા થતા અને હંમેશા સમતા જાળવતા એ વાત એમના તપસ્વી જીવન પ્રત્યે વિશેષ આદર ઉત્પન્ન કરે એવી છે. બહુ નારાજ થતા ત્યારે તેઓ દુઃખ સાથે માત્ર એટલું જ કહેતા : “અરે ભાઈ ! આવું તમારાથી થાય ?” પણ સમતા અને લાગણીથી ભરેલા આટલા શબ્દો પણ કોઈની લાગણીને સ્પર્શી જવા બસ થઈ પડતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy