SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત-સમીપે એમનો એક મુદ્રાલેખ હતો કે મનને જરા ય નવરું પડવા ન દેવું, કે જેથી એ નખ્ખોદ વાળવાનું તોફાન ન કરી બેસે. એમની તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય, યોગની પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિ જ સતત કામ કરતી રહી છે. એમના હાથે અનેક પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકાઓ થઈ છે; અને ભાઈબહેનોની દીક્ષાઓ તો સેંકડોની સંખ્યામાં થઈ છે. આમ છતાં એમનો પોતાનો શિષ્ય-સમુદાય ચાલીસેક સાધુઓનો જ છે એ બીના એ બતાવે છે કે તેઓ શિષ્યમોહમાં ફસાયા ન હતા. એમને તો ફક્ત એટલાથી જ સંતોષ અને આનંદ થતો કે અમુક વ્યક્તિને ધર્મબોધ થયો છે; ભલે પછી એ ગમે તેનાં શિષ્ય-શિષ્યા બને. ૧૯૨ શિષ્યો પ્રત્યે વાત્સલ્ય પણ એમને બહુ. જે કોઈને અભ્યાસ કરવો હોય, એને માટે જોઈતી બધી જ સગવડની ચિંતા તેઓ રાખે. એમણે પોતાના જીવનને તો બને તેટલી બીજાની ઓછી સેવા લેવી પડે, એ રીતે કેળવ્યું હતું. પોતાના ગુરુને એ કદી પણ ન વીસરી શકતા. વિ.સં. ૧૯૯૫માં સાણંદમાં પૂ. મણિવિજયજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ; બાપજી તે વખતે ન જઈ શક્યા તો છેવટે બીમારી અને સખત તાવ હોવા છતાં વિહાર કરીને સાણંદ જઈને ગુરુમૂર્તિનાં દર્શન કર્યાં ત્યારે જ એમને સંતોષ થયો. અને વીસેક વર્ષ પહેલાંની એક અજબ વાત તો જુઓ : અમદાવાદના રાજમાર્ગ ઉ૫૨ એ વયોવૃદ્ધ સાધુ, બાળક પા-પા-પગલી માંડે એમ, થોડું-થોડું ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમના દિલમાં ૮૫ વર્ષની જઇફ ઉંમરે ગિરનાર અને શત્રુંજયનાં પહાડો ચઢીને ત્યાં બિરાજતા દેવાધિદેવનાં દર્શન કરવાના કોડ જાગે છે. અને પૂ. બાપુજી એ ઉંમરે ધીમી-ધીમી મજલ કાપીને ડોળીની મદદ લીધા વગર, એ બંને ગિરિરાજોની યાત્રા કરીને પાછાં ફર્યા ! કોઈએ પાલીતાણામાં ચોમાસું કરવાનું સૂચન કર્યું, તો આટલી ઉંમરે અને આટલા થાક પછી પણ, તીર્થભૂમિની આશાતના ન થાય, એ માટે એમણે એનો ઇન્કાર કર્યો. આટલી વૃદ્ધ ઉંમરે આટલી જાગૃતિ સૌ કોઈને નમન કરવા પ્રેરે એવી છે. એમની દીક્ષા બાદ પાંચેક વર્ષે એમનાં પત્ની, સાસુ અને સાળાએ પણ દીક્ષા લીધી હતી. દીક્ષા બાદ એમના પત્નીનું નામ ચંદનશ્રીજી હતું. વખતને સાચવવામાં બાપજી પૂરા ખબરદાર. નક્કી કરેલ વખતે નક્કી કરેલ કામ થવું જ જોઈએ. ક્યાંક પૂજામાં જવાનું હોય અને કોઈ વખતસર તેડવા ન આવે, તો પોતે આચાર્ય હોવા છતાં, તેઓ વખતસ૨ ૨વાના થઈ જ ગયા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy