SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિજી ૧૭૭ ત્રણ ચોમાસાં ગુજરાત અને રાજસ્થાનમાં કરીને તેઓ દાદાગુરુજીની સાથે પંજાબ ગયા. ત્યાં એકધારાં ૧૯ ચોમાસાં કરીને પંજાબના શ્રીસંઘની ધર્મશ્રદ્ધાને ખૂબ દૃઢ બનાવી. ૧૯ ચોમાસાંમાં દાદાગુરુની સાથે છ કર્યાં. અંતસમયે જેમ માતાએ હિત-શિખામણ આપી હતી, એ રીતે જ દાદાગુરુજીએ અંતિમ આદેશ કર્યો : “સમાજના ઉત્કર્ષ માટે ઠેરઠેર વિદ્યામંદિરો સ્થાપજો અને પંજાબ સંભાળજો !” જેમના ચરણે મુનિ વલ્લભવિજયજીએ પોતાનું જીવન અને સર્વસ્વ સમર્પિત કર્યું હતું, એ વાત્સલ્યમૂર્તિ દાદાગુરુના સ્વર્ગવાસથી તેઓને ન કલ્પી શકાય એટલો આઘાત લાગ્યો. પણ કુદરતના સહજ ક્રમ પ્રમાણે આવી પડેલ આપત્તિથી હતાશ થઈને નિષ્ક્રિય બની જવું એ મુનિ શ્રી વલ્લભવિજયજીના સ્વભાવમાં જ ન હતું. દાદાગુરુજીના પારસમણિ જેવા સહવાસને લીધે જીવનમાં ધીરજ, હિંમત અને સમતાનું જે તેજ પ્રગટ્યું હતું, એની જાણે કસોટી થવાની હતી. મુનિ શ્રી વલ્લભવિજયજી પંજાબના શ્રીસંઘની ધર્મશ્રદ્ધાને દૃઢ કરવાના અને સરસ્વતીમંદિરોની સ્થાપનાના કાર્યમાં દત્તચિત્ત બની ગયા. આથી પંજાબ-શ્રીસંઘમાં બાળકોથી લઈને તે વૃદ્ધો સુધી તેઓ સૌ-કોઈનાં અંતરમાં વસી ગયા. ગુરુ વલ્લભનું નામ પડતાં જ પંજાબના શ્રીસંઘનું અંતર આદર અને ભક્તિથી ગદ્ગદ બની જાય છે. 7 ધર્મો ધામિવિના – ધર્મ એના અનુયાયીઓ વિના ન ટકી રહે એ સૂત્ર મુનિ શ્રી વલ્લભવિજયજીના અંતરમાં બરાબર વસી ગયું હતું. વળી, પોતાની દીર્ઘદ્રષ્ટિથી, તેઓ પલટાતા સમયનાં એંધાણ પણ પારખી શક્યા હતા; અને અહિંસા, કરુણા, સંવેદનશીલતા તો એમના રોમરોમમાં ધબકતી હતી. સંઘશક્તિને ટકાવીને સમાજનો ઉત્કર્ષ સાધવા માટે તેઓએ ત્રણ નિષ્કર્ષો તારવ્યા હતા : (૧) સમાજની ઊગતી પેઢીને દરેક કક્ષાનું વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ મળતું રહે એવી વ્યવસ્થા કરવી. (૨) સંઘશક્તિને ટકાવી રાખવા માટે જૈનસંઘના બધા ફિરકા વચ્ચે સંપ અને સંગઠનની ભાવનાને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ ઊભું કરવું. (૩) સમાજનો ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક ભીંસમાં પિસાઈ ન જાય એ માટે ઉદ્યોગગૃહ જેવી સંસ્થાઓ સ્થાપીને અને એ માટે મોટું ભંડોળ એકત્ર કરવું. તેઓની આ ભાવનાને તેઓના જ શબ્દોમાં જોઈએ : — “અત્યારે હજારો જૈન કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી, પહેરવા પૂરતાં કપડાં નથી, માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે પાસે પૈસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy