SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ચાલીસમા અધ્યયનમાં ઇચ્છનિરોધનો ઉપદેશ છે. એકતાલીસમા અધ્યયનમાં પોતાના પોષણ માટે તપોનુષ્ઠાન અને સંયમપાલનનો નિષેધ કરીને વિશુદ્ધભિક્ષાચર્યાનું નિરૂપણ છે. ખેતાલીસમા અધ્યયનમાં સાવદ્ય આચરણનો નિષેધ જણાવ્યો છે. તેતાલીસમા અધ્યયનમાં લાભ અને અલાભના પ્રસંગે સમભાવ રાખવા માટેનું નિરૂપણ છે. ચુમ્માલીસમા અધ્યયનમાં રાગ– ્ષના નિગ્રહથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જણાવી છે. પિસ્તાલીસમા અધ્યયનમાં કામ, પાપ અને હિંસાનો નિષેધ જણાવીને પાપકર્મના નિષેધનો ઉપદેશ છે. તેમ જ અહિંસા તથા જિનાજ્ઞાપાલનનું વિસ્તારથી નિરૂપણ કરીને ઋદ્ધિગારવત્યાગ વગેરેનો ઉપદેશ છે. ૫ સમવાયાંગસૂત્રમાં ઋષિભાષિતસૂત્રનો ઉલ્લેખ છે, આથી સહજભાવે પ્રસ્તુત સૂત્રની પ્રાચીનતા સ્વયંસિદ્ધ છે. સમવાયાંગસૂત્રનો મૂલપાઠ તથા તેની શ્રી અભયદેવસૂરિષ્કૃત વ્યાખ્યાનો પાઠ આ પ્રમાણે છે—“ નોયારીયું માયના સિમાસિયા વિયોગનુયામાસિયા ફળત્તા” સમવાયાંગસૂત્રનો ૪૪મો સમવાય. નુશ્રવરિશત્ ‘સિમાલિય ત્તિ ઋષિમાષિતાયનાનિાહિશ્રુતવિરોત્રમૂતાનિ, 'दियलोग चुयाभासिय'त्ति देवलोकच्युतैः ऋषि भूतैराभाषितानि देवलोकच्युताभाषितानि । क्वचित् પાઠઃ—તેવોયન્નુયાળ શીળ જોયાઝીમ કૃતિમાસિયઽન્શયળ વત્તા ” (આગમોદયસમિતિ—સુરતદ્વારા પ્રકાશિત વૃત્તિસહિત સમવાયાંગસૂત્ર. પત્ર ૬૮ મું). અહીં ઋષિભાષિતસૂત્રનાં ૪૪ અધ્યયન ગુાવ્યાં છે, જ્યારે વર્તમાનમાં ઉપલભ્ય આ સૂત્રની સમગ્ર પ્રાચીન અર્વાચીન પ્રતિઓમાં પિસ્તાલીસ અધ્યયન છે. એટલું જ નહીં, પાક્ષિકસૂત્રમાં કાલિકશ્રુતરૂપે જણાવેલ સૂત્રોમાં લિમાલિયાનૢ સૂત્રનો ઉલ્લેખ છે. ત્યાં તેની વૃત્તિમાં સિમાલિયાદું સૂત્રનાં પિસ્તાલીસ અધ્યયન જણાવ્યાં છે. આ વૃત્તિનો પાઠ આ પ્રમાણે છે—રૂત્તિમાસિયાË તિ ૬૬ ઋષયઃ–પ્રત્યેવબુદ્ધસાધવ, તે વાત્ર નેમિનાથતીર્થવતિનો નાવાયો विंशतिः, पार्श्वनाथतीर्थवर्तिनः पञ्चदश, बर्द्धमानस्वामितीर्थवर्तिनो दश ग्राह्याः, तैर्भाषितानि વજ્રના િશઈલ્યાન્વયનાનિ શ્રવળાષિયાયન્તિ ઋષિમાષિતાનિ | જુઓ પૂર્વનિર્દિષ્ટ પાક્ષિકસૂત્ર વૃત્તિ પત્ર ૬૭ની પ્રથમપૃષ્ટિ. પાક્ષિકસૂત્રવૃત્તિનો રચના સંવત ૧૧૮૦ છે. આથી, વિક્રમના બારમા શતકમાં સિમાલિયાનૢ સૂત્રની જે કોઈ પ્રતિઓ હશે તેમાં અધ્યયનોની સંખ્યા પિસ્તાલીસ હતી, એ જાણી શકાય છે. અહીં એ પણ સ્પષ્ટ થાય છે કે, સમવાયાંગસૂત્રના મૂલપાઠમાં અને તનુસાર તેની અભયદેવીયા વૃત્તિમાં પ્રસ્તુત સૂત્રનાં ૪૪ અધ્યયન જણાવ્યાં છે તે સંબંધમાં પાક્ષિકસૂત્રવૃત્તિકાર શ્રી યશોદેવસૂરિએ કોઈ નોંધ લીધી નથી. તેમ જ સાથે સાથે એ પણ જાણી શકાય છે કે, વિક્રમના બારમા શતકમાં જ થયેલા સમવાયાંગવૃત્તિકાર આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ તેમના સમયમાં ઋષિભાષિતસૂત્રનાં ૪૫ અધ્યયન હતાં ” તે સંબંધમાં કશું જ લખ્યું નથી. : ઋષિભાષિતસૂત્રના પ્રથમ નારદીયાધ્યયનના સંબંધમાં, પાક્ષિકસૂત્રવૃત્તિમાં વૃદ્ધત્તમ્બરાયનો નિર્દેશ કરીને પ્રાચીન પ્રવાહરૂપે પ્રચલિત નોંધ લખી છે અને તદ્દનુસાર શેષ–૪૪ અધ્યયનોના સંબંધમાં જોવા—જાણવાની ભલામણ કરી' છે. આથી એમ જાણી શકાય છે કે, આ ૪૫ અધ્યયનોના વિશેષ પરિચય માટે કોઈ વૃદ્ધપરંપરા હતી. १. अत्र वृद्धसम्प्रदायः - सोरियपुरे नगरे सुरंबरो नाम जक्खो । धणंजओ सेट्ठी, सुभद्दा भज्जा । तेहिं अन्नया सुरंबरो विन्नतो जहा - जइ अम्हाणं पुत्तो होही तो तुज्झ महिससयं देमो त्ति । एवं ताणं जाओ पुत्त । एत्यंतरे भगवं वद्धमाणसामी 'ताणि संबुज्झिहिंति 'त्ति सोरियपुरमागओ । सेट्ठी Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy