SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપકશ્રેણી ૬૫૫ ત્યાર પછી બહુ ઓછા કાળમાં થાય છે. ત્યારપછી કેવળજ્ઞાની શું કરે એ સ્વાભાવિક પ્રશ્નને જવાબ આવતી ગાથામાં કર્તા પિતે જ આપે છે. આ તત્વજ્ઞાનને મોટો સવાલ છે અને બૌદ્ધો સાથે તે બાબતમાં વિવાદ છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ભૂત ભાવી અને વર્તમાનકાળે થયેલા, થતા અને થવાના સર્વ વિષને પ્રાણી જાણી દેખી શકે છે. આ તફાવત જાણુ-સમજવો. (ર૭૦) સંપૂર્ણ જ્ઞાનનું વિશેષ સ્વરૂપ क्षीणचतुःकमांशो वेद्यायुर्नामगोत्रवेदयिता । विहरति मुहूर्तकालं देशोनां पूर्वकोटि वा ॥२७१।। અર્થ–તેના ઉપર જણાવેલ ચાર ઘાતકર્મો નાશ પામી ગયાં છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મને ભેગવતાં તેઓ મુહુર્ત કાળ સુધી અથવા દેશ (કાંઈક) ઓછા પૂર્વ કેટિ વર્ષ સુધી વિચરે છે. (ર૭૧) વિવેચન કેવળજ્ઞાની કેટલે વખત વિહાર કરે છે? તેની ઉત્કૃષ્ટ તથા ઓછામાં ઓછી સ્થિતિ બતાવે છે. ક્ષીણચતુકર્માશ–ઉપર જણાવ્યા તે ચારે ઘાતક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય જેના મૂળથી ગયેલાં છે એવા કેવળજ્ઞાનવાળા પુરુષે. ઘાયુનામગોત્ર– ભગ્રાહી ચાર કર્મો તેમના બાકી રહે છે. તે ચાર કર્મો આ પ્રમાણે છે–વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. આ ચાર કર્મો ભયગ્રાહી કહેવાય છે. એ તે ભવ-જીવન સાથે લાગેલાં છે. આ ચાર કર્મોને ભેગવનારા. | મુહર્તકાલ–બે ઘડી. સંસારમાં ઓછામાં ઓછા બે ઘડી વિહાર કરે છે, વિચારે છે. આ જઘન્યકાળ સમજ. અંતકૃત કેવળી થઈ કેટલાક પ્રાણીઓ તુરત જ મોક્ષે જાય છે. મરૂદેવા માતાને હાથી ઉપર કેવળજ્ઞાન થયું હતું અને પછી તેઓ તરત જ મોક્ષે ગયા હતા. આ મુહૂર્ત કાળ જઘન્ય સમજો. દેશના પૂર્વ કોટિ-–ઉત્કૃષ્ટ કાળે કાંઈક ઓછી પૂર્વ કેટિ. ચોરાશી લાખને રાશી લાખે ગુણીએ ત્યારે એક કટિ થાય, એવી રાશી લાખ મેટિમાં આઠ વર્ષ બાદ જતાં જે બાકી રહે છે. એટલે કેઈ પ્રાણીને કેવળજ્ઞાન થાય અને તેનું મનુષ્પાયુ ઉત્કૃષ્ટ હોય તે તેને લઈને આ ઉત્કૃષ્ટ કાળની ગણના કરી. તે આટલે કાળ દુનિયામાં વિચરે છે અને સ્વારને ઉપકાર કરે છે. આ ગાથામાં કેવળજ્ઞાની કેટલા વર્ષ રહે, જાણે અને દેખે તે સર્વ વાતે બતાવી છે. પૂર્વકાળમાં મનુષ્યનું આયુષ્ય રાશી લાખ પૂર્વનું હતું. આઠ વર્ષે દીક્ષા લે, તુરત ક્ષકશ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે ચોરાશી લાખ પૂર્વમાં તેટલે આઠ વર્ષ એ છે સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy