SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપકશ્રેણી ૬પ૧ થવાથી તાડને અવશ્ય નાશ થાય છે. અત્યારે પણ બગીચાપાલકની આ માન્યતા છે. તાડના ઝાડ ઉપર રહેલ સેયને નાશ કરવો એ આખા તાડને નાશ લાવવા માટે ચક્કસ ઉપાય છે. વિનાશ-એને ઉડાવી દેવાથી, કાપી નાખવાથી. સૂચિને નાશ કરવાનું શું પરિણામ આવે છે તે બગીચાના રક્ષકને પૂછવું. એકલી સેયને ઉડાવી દેવાથી તાડને નાશ તે લખાય જ છે. પછી આખા તાડને જમીનસ્ત કરવા પ્રયાસ કે પ્રયત્ન કરે પડતે નથી. આ તે વાત બેસે તે માટે લૌકિક દષ્ટાંત આપ્યું છે. મેહનીય –મોહનીય કર્મને ક્ષય કરવાથી. આપણે જોયું કે ઉદયમાંથી મેહનીય કર્મ દશમા ગુણસ્થાનકમાંથી સર્વથા જાય છે અને સત્તામાંથી બારમા ગુણસ્થાનકને અંતે જાય છે. આ સર્વ કર્મના રાજા જેવા મેહનીય કમને ક્ષય થતાં બધાં કર્મો––બાકીનાં સાતે કર્મને ક્ષય થાય છે. તેથી બધાં કર્મોમાં મેહનીય કર્મને રાજાનું સ્થાન આપવામાં આવ્યું છે. જે રાજાને શેહ લાગે, તે તે કોઈ પણ સ્થાનકે ન ચાલી શકે, ત્યારે શેત્રુંજ પૂરી થાય છે. તે રીતે એક મેહનીય કર્મને ક્ષય થતાં બીજા સાતે કર્મને અવશ્ય ક્ષય થઈ જાય છે. માટે કહેવાની વાત એ છે કે આ કર્મોની રમત જાણનાર ફતેહ તે જ પામે જે એ મેહનીય કર્મને હઠાવી, પછાડી દઈ તેને ક્ષય કરે. એક મોહનીય ઉપરના વિજયથી બાકીનાં સાતે કર્મો નાશ પામે છે. તે આ ચાવી જેવી ગાથાને યથાસ્વરૂપે સમજવી. એકને અઠ્ઠાવન પ્રકૃતિમાં–પિટભેદમાં મેહનીય કમને અઠ્ઠાવીશ સ્થાન મળે છે. એ અઠ્ઠાવીશને ક્ષય થતાં બાકીનાં ૧૩૦ કર્મો ચાલ્યાં જાય છે, માટે એ મેહનીયને ક્ષય કરવા પ્રબળ પુરુષાર્થ વાપર. (૨૬૭) તે કેટલા વખતમાં થાય તે જણાવે છે– छअस्थवीतरागः कालं सोऽन्तर्मुहूर्तमथ भूत्वा। युगपद्विविधावरणान्तरायकर्मक्षयमवाप्य ॥२६८॥ અથ—અંતર્મુહૂર્ત (બે ઘડી) કાળમાં તે મેહ વગરને થઈ એકી સાથે જ જુદા જુદા પ્રકારના આવરણે અને અંતરાયકર્મને ક્ષય કરે છે. (૨૬૮) વિવરણ–આ ગાથામાં ક્ષપકશ્રેણી માંડનાર પ્રાણી કેવી રીતે કર્મને ક્ષય કરે છે તેની સ્થિતિ વર્ણવે છે છદ્મસ્થ વીતરાગ–છદ્મ એટલે આવરણ છમસ્થ એટલે સંસારમાં રહેલે, સાંસારિક. એ અંતે વીતરાગ થવાનું છે તેની પહેલાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy