SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્રશમરતિ વિવેચન સહિત ભૂસ કાઢી નાંખવામાં આવે છે અને છાશ આદિથી તેને શોધવામાં આવે તે તે નશ કરતા નથી. હિતઅહિતની પરીક્ષામાં વિકળ કરવાવાળા મિથ્યાત્વમેહનીયના પુગળ છે. એમાં સર્વઘાતી રસ હોય છે. બેઠાણીએ, ત્રણઠાણીઓ અને ચારઠાણુઓ રસ સર્વઘાતી રસ છે. આત્મા પિતાના વિશુદ્ધ પરિણામના બળથી એ પુદ્ગોના સર્વઘાતીરસ અથવા શક્તિને ઘટાડી દે છે. પછી માત્ર એકઠાણીએ રસ રહે છે. આ એકઠાણીઆ રસવાળા દર્શનમેહનીયના પુદુગળને સમકિત મેહનીય કહે છે. એનાથી તત્ત્વરુચિરૂપ સમ્યક્ત્વમાં બાધા પહોંચતી નથી, પરંતુ એને ઉદય આત્મસ્વરૂપ રૂપ ઔપશમિક સમ્યકત્વ તથા ક્ષાયિક સમ્યકત્વ થવા દેતું નથી અને સૂક્ષમ પદાર્થોના વિચારને અંગે શંકાઓ પેદા કરે છે, એને પરિણામે સમકિતમાં મલિનતા આવી જાય છે, એ દેષને કારણે આ કર્મને સમ્યકત્વમેહનીય કર્મ કહેવાય છે. કઈ ભાગ શુદ્ધ અને કોઈ ભાગ અશુદ્ધ એવા કદ્રવા સરખું મિશ્રમેહનીય કર્મ છે. આ કર્મના ઉદયથી જીવને તત્વરૂચિ ન થાય. આ મિશ્રમેહનીયનું બીજું નામ સમ્યમિથ્યાત્વમોહનીય છે. એનાં કર્મપુદ્ગોમાં બેઠાણીઓ રસ હોય છે. સર્વથા અશુદ્ધ કોદ્રવાના જેવું મિથ્યાત્વમોહનીય કર્મ છે, એ કર્મના ઉદયથી જીવને હિતમાં અહિતની બુદ્ધિ થાય છે અને અહિતમાં હિતની બુદ્ધિ થાય છે. એટલે એ કર્મને ઉદય થાય છે ત્યારે પ્રાણી હિતને અહિત સમજે છે અને અહિતને હિત સમજે છે. આ પ્રકારના કર્મપુદ્ગમાં ચઉઠાણીઓ, ત્રણઠાણીઓ અને બેઠાણીએ રસ હોય છે. ૧/૪ રસને ચતુઃસ્થાનક, ૧/૩ને ત્રિસ્થાનક અને ૧/રને ક્રિસ્થાનક (બેઠાણીએ) રસ કહેવાય છે. સ્વાભાવિક રસ છે તેને એકઠાણીએ રસ કહેવામાં આવે છે. આ વિષય સમજવા માટે લીંબાળીને કે શેરડીને એક શેર રસ લઈએ. એને એકઠાણીએ રસ કહે. લીબળીના એ સ્વાભાવિક રસને કડવો અથવા શેરડીના રસને મીઠે રસ કહેવો જોઈએ. એ એક શેર રસને આગમાંથી પસાર કરીને અરધાને બાળી નાખો, એ રીતે કરતાં વધેલ કે બચેલ અરધા રસને બેઠાણીઓ રસ કહેવાય છે. એ રસ સ્વાભાવિક કડવા રસ કે મધુર રસની - અપેક્ષાએ વધારે કડવો કે વધારે મધુર કહેવાય. એક શેર રસના બે વિભાગ બાળી નાંખવામાં આવે તે વધેલા એક વિભાગના રસને ત્રણઠાણીઓ રસ કહેવાય. આ પ્રાપ્ત થયેલ લીમડાને રસ વધારે કડવો અને શેરડીનો રસ વધારે મીઠે થાય છે. એક રસના ત્રણ ભાગ બાળી નાંખવામાં આવે તે વધેલા પાશેર રસને ચઉઠાણુઓ રસ કહેવામાં આવે છે. આ રસ જે. લીમડાનો હોય તે વધારે કડવો અને શેરડીને હોય તે વધારે મીઠે કહેવાય છે. આવી રીતે કર્મ શુભ અથવા અશુભ ફળ આપે છે. તે સર્વથી આકારે હોય તે તે ચારઠાણીઓ રસ કહેવાય છે, તેથી ઓછો કડો યા મીઠે રસ હોય તે ત્રણઠાણીઓ રસ કહેવાય છે, તેથી ઓછા તીવ્ર રસને બેઠાણીએ રસ કહેવાય છે અને મંદ શક્તિવાળા રસને એકહાણીઓ રસ સમજ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy