SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષયકશ્રેણી ૬૪૧ ઓગણીશ પ્રકૃતિ રહી. પાંચમે ભાગે સંજવલન માયા જતાં અઢાર બંધપ્રકૃતિ રહી. સદર અનિવૃત્તિકરણ ગુણુઠાણાને અંતે સંજવલન લાભ જતાં સૂક્ષ્મસંપરાય ગુણુસ્થાનમાં ૧૭ પ્રકૃતિ ઉદયમાં રહે. એ સૂક્ષ્મસંપરાયને અંતે ચારે પ્રકારના દર્શનના અંધવિચ્છેદ્ય થાય છે, તેમ જ ઉચ્ચગેાત્ર, યશઃનામક, પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અંતરાય એ કમ પ્રકૃતિને અંધવિચ્છેદ થાય છે. માત્ર એક શાતાવેદનીયના જ મધ ખાકી રહે છે. આ રીતે ક્ષયકશ્રેણિ માંધનારને ખધ ઉપર સ્વામિત્વ આવી જાય છે અને તેરમાને અંતે એક શાતાવેદનીય ક`પ્રકૃતિના પણ મધમાંથી નાશ થાય છે. આ રીતે ક્ષપકશ્રેણિ માંડનારને ઉડ્ડય તથા સત્તામાં કમ પ્રકૃતિ ઉત્તરોત્તર ઓછી થતી જાય છે. મુદ્દે વાત એ છે કે ક્ષપશ્રેણિ એ માત્મિક ગુણ છે અને આત્મા એને એ માગે પ્રવર્તાવે છે. આવી કેટલીક વાતે ગ્રંથકર્તા પાતે જ કહેનાર છે. તે પછી કાંઈ જરૂરી ખુલાસા હશે તે પ્રકરણને અંતે કરવામાં આવશે. આવા સુંદર આત્મિક ગુણુને પ્રથમ આપણે વિદ્વાન ગ્રંથકર્તાના શબ્દોમાં સમજવા યત્ન કરીએ. માહાન્મૂલનનેા ક્રમ— पूर्वं करोत्यनन्तानुबन्धिमाम्नां क्षयं कषायाणाम् । मिथ्यात्वमोहगहनं क्षपयति सम्यक्त्वमिथ्यात्वम् ॥ २६० ॥ અથ—પહેલાં તે તે અનંતાનુબંધી નામના કષાયાના ક્ષય કરે છે. ત્યાર પછી તે મિથ્યાત્વમાહનીય, મિશ્રમેહનીય અને સમ્યકત્વમાહનીયના ક્ષય કરે છે. (૨૬૦) વિવેચન—મહને એ પ્રાણી જ્યારે ક્ષપક શ્રેણિ માંડે ત્યારે કેવી રીતે દૂર કરે છે તેના ક્રમ પદ્ધતિસર બતાવે છે. અન`તાનુખ ધિ—પહેલાં તે એ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લેભના ક્ષય કરે છે, તેના આપણે ક્રમ જોઈએ. મિથ્યાત્વ ગુણસ્થાનકને છેડે અંધમાંથી અનાનુમંધી ચાર પ્રકારના કષાય જાય છે, તે આપણે ઉપોદ્ઘાતમાં જોઈ આવ્યા. આ ચાર અનતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેાભ જેનું સ્વરૂપ સચિત્ર પ્રથમ કર્મગ્રંથમાં આપવામાં આવ્યું છે તે બંધમાંથી પ્રથમ ગુણસ્થાનકને અંતે નાશ પામે છે, ત્યાર પછી એના–એ ચારે પ્રકૃતિના બંધ થતા નથી. આવી રીતે ક્ષપકશ્રેણિએ ચઢનારા ચારે અતિ અધમ કષાયાને બંધ તા યારના અંધમાંથી મૂકી આવેલ છે. (જુએ કર્મગ્રંથ ખી, ગાથા પાંચમી.) મિથ્યાત્વમાહનીય દર્શનમેહનીયના ત્રણ પ્રકાર છે: મિથ્યાત્વમેહનીય, મિશ્રમાહનીય અને સમક્તિમાહનીય. એનું વિસ્તારથી સ્વરૂપ પ્રથમ કર્મગ્રંથ ગાથા ચૌદમીમાં આપેલ છે. કેદ્રવાને દાખલે ત્યાં આપ્યા છે. તે વિચારવા ચેાગ્ય છે. એને (દ્રવાના) પ્ર, ૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy